આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અગાઉ મેં પુરાવા સાથે જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટર માઈન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે, તે વાત સાચી પડી. મેં ત્યારે પણ જાહેર કર્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને આ કૌભાંડ કર્યું છે. ત્યારે શાસક પક્ષના એક સાંસદે તેમનો બચાવ કર્યો હતો. ત્યારે હીરા જોટવાએ મારા વિરુદ્ધ ચીમકી ઉચ્ચારી હતી કે ચૈતર વસાવા પર ગુજરાતમાં ક્યારેય પણ ન થયો હોય એટલો મોટો માનહાનીનો કેસ કરીશ. પરંતુ આજે મારી વાત સાચી સાબિત થઈ. ભરૂચના એસપીએ આખરે હીરા જોટવા અને તેના દીકરાની ધરપકડ કરી.

હીરા જોટવા 2017 દરમિયાન આ વિસ્તારમાં આવ્યા અને સાંસદ બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝને આપી દીધા. ત્યારબાદ બધા જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને બોગસ બીલો બનાવ્યા અને એક પણ રેતી-રેતી કપચી ઉતાર્યા વગર જીએસટી અને રોયલ્ટી વગરના કરોડોના બિલો પાસ કરાવ્યા. આ એજન્સીઓમાં પાંચ વર્ષ દરમિયાન 2500 કરોડ રૂપિયા જમા થયા. હીરાભાઈ પોતે આ એજન્સીઓના પ્રોપરાઇટર હતા પરંતુ તે કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા. હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા છે.

હીરા જોટવાય લંડનમાં પોતાના દીકરા દિગ્વિજય જોટવા અને અભય જોટવાને કરોડો રૂપિયા હવાલા દ્વારા મોકલ્યા. વિદેશમાં તેમણે એક કંપનીમાં ખૂબ જ મોટું રોકાણ કર્યું છે. કારણ કે તેઓ જાણતા હતા કે આ જ નહીં તો કાલ કૌભાંડ જ્યારે બહાર નીકળશે તો વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું તેવું તેવું માનતા હતા.

મારી સરકારને અપીલ છે કે CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે. જો કડક રીતે તપાસ કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના નામ આ કૌભાંડમાં બહાર આવે એમ છે. આ કૌભાંડમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના અધિકારીઓના નામ પણ બહાર આવે એમ છે. એસઆઇટીને આ નેતાઓ નિષ્પક્ષ તપાસ કરવા દેશે નહીં. માટે CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી મારી માંગ છે. હવાલા પેટે જે રકમ વિદેશોમાં મોકલવામાં આવી છે તે પાછી લાવવામાં આવે તેવી પણ મેં માંગ કરીએ છીએ. જો સંતોષકારક તપાસ નહીં થાય અને ભાજપને કોંગ્રેસના નેતાઓની હકીકત ઉજાગર કરવામાં નહીં આવે તો અમે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામક કચેરીનો ઘેરાવ કરીશું. જરૂર પડશે તો અમે પાંચે પાંચ તાલુકામાં ઘેરાવ કરીશું અને ગાંધીનગરમાં પણ ઘેરાવ કરીશું. તમામ માહિતી બહાર આવી જોઈએ કે કયા નેતાને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે અને કયા અધિકારીને પણ કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે. કૌભાંડમાં જેટલા નાણા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સેરવી લેવામાં આવ્યા છે, તેને રિકવર કરવામાં આવે અને તે નાણાનો ઉપયોગ ગામોના વિકાસ માટે કરવામાં આવે તેવી અમારી માંગ છે.