Jamnagar: તાવ, શરદી, ઉપરસ સાથે મેલેરિયા અને ડેન્ગ્યુન જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો હોવાના કારણે કેસમાં પણ ઉછાળો આવતા દર્દીઓની સંખ્યા દોઢથી બે ગણી હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધી જવાથી આરોગ્ય તંત્રને દોડધામ થઈ ગઇ છે.

Jamnagar: સરકારી જી.જી. ઓપીડીમાં દરરોજ ૪૫૦ જેટલાં દર્દીઓ આવતા, જે સંખ્યા વધીને ૭૦૦ સુધી પહોંચીઃ દાખલ થતા દર્દીઓની સંખ્યા ૮૦થી વધીને ૧૫૦ સુધી પહોંચતાં દોડધામ

Jamnagarની સરકારી જી.જી., હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યાં પહેલા ૪૫૦ જેટલા દદીઓ આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા ૫૫૦ થી ૬૦૦ અને કેટલીકવાર ૭૦૦ સુધી પહોંચી રહી છે. આ ઉપરાંત, આઈ.પી.ડી. માં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મેડિસીન ઈમરજન્સીમાં દાખલ દર્દીઓની

સરેરાશ સંખ્યા ૬૦ થી ૮૦ હતી, જે હવે, વધીને ૧૧૦ થી ૧૩૦ અને કેટલીકવાર ૧૫૦ સુધી પહોંચી રહી છે. આ વધારાનું મુખ્ય કારણ શરદી, તાવ, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસોમાં વધારો થયો છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે આ રોગો ફેલાવાની શક્યતા વધી ગઈ છે. હોસ્પિટલના સ્ટાફ દર્દીઓની સારવાર માટે સતત પ્રયતશીલ છે. પરંતુ દદીઓની સંખ્યામાં આટલો વધારી થવાન કારણે સ્ટાફ પર ભાર વધી ગયો છે. હોસ્પિટલ સત્તાવાળાઓ દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે જરૂરી પગલાં ભરી રહ્યા છે.

જામનગરના નાગરિકોને આ અંગે સતર્ક રહેવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈને શરદી, તાવ, મેલેરીયા કે ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવવી જોઈએ.