ગુજરાતના ગૃહ મંત્રી harsh sanghviના પિતાશ્રી રમેશભાઈ સંઘવી નું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમની અંતિમ યાત્રા આજે સાંજે 4.00 વાગે તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પાર્લે પોઇન્ટ થી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે

મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યગૃ હમંત્રી હર્ષ સંઘવીના પિતા લાંબા સમયથી બીમાર હતા. રમેશચંદ્ર સંઘવીએ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ.

છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. ફેફસાં, કિડની સહિતના મલ્ટીપલ ડિસિઝથી પીડાતા હોવાથી છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. કેટલાક દિવસોથી તબિયત વધુ ખરાબ થતાં તેમને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

છેલ્લા બે-ત્રણ દિવસથી રમેશચંદ્ર સંઘવી તબિયત વધુ લથડતા તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી ગઈકાલે પણ સુરતમાં જ હતા અને તેઓ હોસ્પિટલમાં પોતાના પિતાની સારવાર દરમિયાન હાજર હતા