Rajkot : કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ખાસ તપાસ શરૂ કરાઈ છે. છેલ્લાં ત્રણ દિવસમાં પોલીસે 52 જેટલા નાગરિકોની શંકાસ્પદની તપાસ શરૂ કરી હતી. શહેરના અનેક વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. ત્યારે શહેરના ગુજરાતી વાડી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી. પોલીસે ડિટેઇન કરી તપાસ હાથ ધરી છે
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ શહેરના ગુજરાતી વાડીના જુમખાના મેદાન પાછળ આવેલ દિનેશભાઈ ખોડાભાઈ પાઘડાર સાથે રુકસાના બેન નામની મહિલા કોઈ પણ પ્રકારના વિઝા કે સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રહેશે તેવી હકીકત મળતા પોલીસે ખાનગી રહે તપાસ કરતા રુકસાનાબેન ડૉ/ઓફ મહંમદ સદરૂદિન મોહમ્મદ ગુલામમિયાં રહે. મોહલા હરિશંકરપુર વિસ્તાર થાણા, જિંનદેહ બાંગ્લાદેશ નામની મહિલા ભારતમાં ઘૂસણખોરી કર્યાનું ખુલાસો થયો હતો.
તપાસમાં મહિલા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતી હતી,મહિલા પાસેથી ભારતીય રહેવાસી ના પુરાવા મળી ન આવેલું હોય તેમ જ મહિલા પાસેથી બાંગ્લાદેશનું ચૂંટણી પંચ નું મતદાર ઓળખ મળી આવતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની નજરે નજર કેદ કરી કાર્યવાહી છે તે આરંભી છે.
આ પણ વાંચો..
- Ahmedabad: ફૂલોનો એક મનમોહક દરિયો! આજથી ફ્લાવર શો શરૂ થાય છે; મુખ્ય આકર્ષણો અને ટિકિટના ભાવ જાણો
- Ahmedabad: નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ પીનારા 200થી વધુ લોકોની ધરપકડ
- દારૂ, ડ્રગ્સ અને ગુન્હાખોરી વધારી ભાજપે ગુજરાતને અંધકારમાં ધકેલ્યું: Dr. Jewel Vasra AAP
- Gujarat: RTOમાં મોટા પાયે બઢતી અને બદલીઓ, 17 અધિકારીઓ ક્લાસ-1 બન્યા
- Gujarat: ઠાકોર સમાજની નવી પહેલ, લગ્નોમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબેન ઠાકોર દ્વારા વચન આપવામાં આવ્યું





