Rajkot : કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ખાસ તપાસ શરૂ કરાઈ છે. છેલ્લાં ત્રણ દિવસમાં પોલીસે 52 જેટલા નાગરિકોની શંકાસ્પદની તપાસ શરૂ કરી હતી. શહેરના અનેક વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. ત્યારે શહેરના ગુજરાતી વાડી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી. પોલીસે ડિટેઇન કરી તપાસ હાથ ધરી છે
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ શહેરના ગુજરાતી વાડીના જુમખાના મેદાન પાછળ આવેલ દિનેશભાઈ ખોડાભાઈ પાઘડાર સાથે રુકસાના બેન નામની મહિલા કોઈ પણ પ્રકારના વિઝા કે સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રહેશે તેવી હકીકત મળતા પોલીસે ખાનગી રહે તપાસ કરતા રુકસાનાબેન ડૉ/ઓફ મહંમદ સદરૂદિન મોહમ્મદ ગુલામમિયાં રહે. મોહલા હરિશંકરપુર વિસ્તાર થાણા, જિંનદેહ બાંગ્લાદેશ નામની મહિલા ભારતમાં ઘૂસણખોરી કર્યાનું ખુલાસો થયો હતો.
તપાસમાં મહિલા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતી હતી,મહિલા પાસેથી ભારતીય રહેવાસી ના પુરાવા મળી ન આવેલું હોય તેમ જ મહિલા પાસેથી બાંગ્લાદેશનું ચૂંટણી પંચ નું મતદાર ઓળખ મળી આવતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની નજરે નજર કેદ કરી કાર્યવાહી છે તે આરંભી છે.
આ પણ વાંચો..
- MEA: ભારત ઈરાન અને ખાડી દેશો પર નજર રાખી રહ્યું છે: વિદેશ મંત્રાલયે કહ્યું, “બધા પક્ષોએ સંયમ રાખવો જોઈએ; વર્તમાન પડકાર કેટલો મોટો છે?”
- Pakistan: જીતવા છતાં પાકિસ્તાન હારી ગયું, સેમિફાઇનલની દોડ અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું; શ્રીલંકાને 147 રન સુધી મર્યાદિત રાખવામાં નિષ્ફળ
- Lucknow: ઈરાન હુમલાથી હવાઈ ટ્રાફિક પર સીધી અસર પડી; દુબઈનું હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું, અને લખનૌથી 17 ફ્લાઇટ્સ રદ
- Dubai ના પામ જુમેરાહ પર ઈરાનનો મિસાઈલ હુમલો, બુર્જ ખલીફા ખાલી કરાવાયા
- Sanjay kapoor ની હજારો કરોડની સંપત્તિ પર કૌટુંબિક ઝઘડો: દિલ્હી હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો, વસિયતનામા 10 માર્ચે ખુલશે





