Rajkot : કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ખાસ તપાસ શરૂ કરાઈ છે. છેલ્લાં ત્રણ દિવસમાં પોલીસે 52 જેટલા નાગરિકોની શંકાસ્પદની તપાસ શરૂ કરી હતી. શહેરના અનેક વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. ત્યારે શહેરના ગુજરાતી વાડી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી. પોલીસે ડિટેઇન કરી તપાસ હાથ ધરી છે
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ શહેરના ગુજરાતી વાડીના જુમખાના મેદાન પાછળ આવેલ દિનેશભાઈ ખોડાભાઈ પાઘડાર સાથે રુકસાના બેન નામની મહિલા કોઈ પણ પ્રકારના વિઝા કે સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રહેશે તેવી હકીકત મળતા પોલીસે ખાનગી રહે તપાસ કરતા રુકસાનાબેન ડૉ/ઓફ મહંમદ સદરૂદિન મોહમ્મદ ગુલામમિયાં રહે. મોહલા હરિશંકરપુર વિસ્તાર થાણા, જિંનદેહ બાંગ્લાદેશ નામની મહિલા ભારતમાં ઘૂસણખોરી કર્યાનું ખુલાસો થયો હતો.
તપાસમાં મહિલા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતી હતી,મહિલા પાસેથી ભારતીય રહેવાસી ના પુરાવા મળી ન આવેલું હોય તેમ જ મહિલા પાસેથી બાંગ્લાદેશનું ચૂંટણી પંચ નું મતદાર ઓળખ મળી આવતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની નજરે નજર કેદ કરી કાર્યવાહી છે તે આરંભી છે.
આ પણ વાંચો..
- મંત્રી સુરેન્દ્રનગર માં આવતા હોય અને સુરેન્દ્રનગરની વાત જ ન કરે તો એમનું કામ શું?: Vikram Dave AAP
- Rajkot:બેંક જ ના રહી સુરક્ષિત! ઇન્ડિયન બેંકમાંથી ગ્રાહકનું 1 કિલોગ્રામ સોનું ગાયબ, બે અધિકારીઓ સામે કાર્યવાહી
- Surat: કળિયુગની વહુએ સાસુને દરેક દાણા માટે તરસાવી, દીકરાએ પણ તરછોડી; પોલીસની સામે પણ બોલિયા ગાળો
- Ahmedabad: T20 મેચને કારણે 19 ડિસેમ્બરે મધ્યરાત્રિ સુધી દોડશે મેટ્રો ટ્રેનો
- Gujaratના આ સ્ટેશનથી દિલ્હી માટે નવી ક્રિસમસ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત, આ સ્થળોએ સ્ટોપ સાથે દોડશે





