Rajkot : કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ખાસ તપાસ શરૂ કરાઈ છે. છેલ્લાં ત્રણ દિવસમાં પોલીસે 52 જેટલા નાગરિકોની શંકાસ્પદની તપાસ શરૂ કરી હતી. શહેરના અનેક વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. ત્યારે શહેરના ગુજરાતી વાડી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી. પોલીસે ડિટેઇન કરી તપાસ હાથ ધરી છે
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ શહેરના ગુજરાતી વાડીના જુમખાના મેદાન પાછળ આવેલ દિનેશભાઈ ખોડાભાઈ પાઘડાર સાથે રુકસાના બેન નામની મહિલા કોઈ પણ પ્રકારના વિઝા કે સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રહેશે તેવી હકીકત મળતા પોલીસે ખાનગી રહે તપાસ કરતા રુકસાનાબેન ડૉ/ઓફ મહંમદ સદરૂદિન મોહમ્મદ ગુલામમિયાં રહે. મોહલા હરિશંકરપુર વિસ્તાર થાણા, જિંનદેહ બાંગ્લાદેશ નામની મહિલા ભારતમાં ઘૂસણખોરી કર્યાનું ખુલાસો થયો હતો.
તપાસમાં મહિલા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતી હતી,મહિલા પાસેથી ભારતીય રહેવાસી ના પુરાવા મળી ન આવેલું હોય તેમ જ મહિલા પાસેથી બાંગ્લાદેશનું ચૂંટણી પંચ નું મતદાર ઓળખ મળી આવતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની નજરે નજર કેદ કરી કાર્યવાહી છે તે આરંભી છે.
આ પણ વાંચો..
- Panchmahal: નવરાત્રિ દરમિયાન પાવાગઢ શક્તિપીઠના દર્શન સમયમાં ફેરફાર
- Ahmedabad: ગુજરાતમાં માજી સૈનિકોની અવગણના! 100થી વધુ ભૂતપૂર્વ સૈનિકોએ ભાજપ છોડીને આપ્યું રાજીનામું
- ખેડૂતો વતી અરજી આપતા ગામસેવક ખેતર ઉપર જઈને તપાસ કરી સમસ્યાનું નિરાકરણ લાવશે: Gopal Italia
- Ahmedabad: ‘ચાર-ચાર બંગડીવાળી’ ગીત વિવાદ, ગાયિકા કિંજલ દવેને હાઈકોર્ટનો ઝટકો, 7 ડિસેમ્બર સુધી જાહેર મંચ પર ગાવા પર પ્રતિબંધ યથાવત્
- Ahmedabad: એર ઈન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટના, બોઇંગ અને હનીવેલ સામે મૃતકોના પરિવારોનો કોર્ટ કેસ