રાજ્યમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજુ મોટાભાગના વિસ્તારો વરસાદની રાહ જોઇ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલે રાહત આપતી આગાહી કરી છે.. તેમણે કહ્યું છે કે ખેડૂતોએ ચિંતા કરવાની સહેજ પણ જરુર નથી. તેમણે કહ્યું કે આગામી ૧૭ જૂનથી ચોમાસુ સક્રિય થશે. તેમણે 17 થી 22 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. સાથે જ આ સમયગાળા દરમ્યાન પવન પણ તેજ ગતિએ ફૂંકાવવાની આગાહી કરી છે..

અંબાલાલે કહ્યું કે હાલમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડતો રહેશે.. પરંતુ 17 તારીખથી 22 તારીખ સુધી જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે.. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે..

મહત્વપૂર્ણ છે કે આ વખતે કેરળમાં ચોમાસું સમય કરતા બે દિવસ વહેલુ અને ગુજરાતમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા પાંચ દિવસ વહેલા પહોંચી ગયુ છે. પરંતુ ચોમાસાની એન્ટ્રી થયા બાદ તે નબળુ પડ્યુ છે.. અને હાલ દક્ષિણ ગુજરાતને બાદ કરતા ક્યાંય નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો નથી.