Pahalgam terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો.આતંકવાદી હુમલામાં કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ગુજરાતના 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જી હા..પહલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીઓનાં મોત થયા છે અને સમગ્ર લિસ્ટ સામે આવ્યું છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકનું મોત નિપજ્યું હતું.જે જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા. સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા શૈલેષ કલાઠિયાનું પહેલગામ આતંકી હુમલામાં કરુણ મોત નિપજ્યું હતું. શૈલેષ કલાઠિયા હાલમાં ફેમેલી સાથે મુંબઈમાં રહેતો હતો. 3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર હતા. પરંતુ તંત્રએ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ગુજરાતના ત્રણ ગુજરાતીઓના મોત થયા છે. તંત્ર દ્વારા લિસ્ટ મુજબ સુમિત પરમાર, યતેષ પરમાર અને શૈલેષ કળથીયાનું મોત નીપજ્યું છે, જેમાં બે ભાવનગરના અને એક સુરતના વ્યક્તિનું મોત થયું છે.
આ આતંકી હુમલામાં 3 ગુજરાતી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં ગુજરાતથી જમ્મુ કશ્મીરના પ્રવાસે ગયેલા ભાવનગરના વિનોદ ડાભી ઘાયલ થયા છે. વિનોદભાઈ ડાભીની હાલ જમ્મુ કશ્મીરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય બે ગુજરાતી ઘાયલ થયા છે. જેમાં રેણું પાંડે, મોનિકા પટેલ ઘાયલ થયા છે જેમની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
CRPFની ક્વિક એક્શન ટાસ્ક ફોર્સ પણ આતંકવાદીઓને શોધી રહી છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.