Morari Bapu wife Death: ગુજરાતના મહુવા ખાતે રહેતા દેશના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્નીનું નર્મદાબેન હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આજે એટલે કે બુધવારે 11 જૂનના રોજ તલગાજરડા ખાતે તેમની સમાધિ વિધિ કરવામાં આવશે.
તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી, બે દિવસથી તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો. નર્મદાબેને 75 વર્ષે દેહ છોડ્યો છે.
મોરારિબાપુના લગ્ન નર્મદાબા સાથે વણોટ ગામે થયા હતા.મોરારિબાપુને પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. ઉલ્લેખનીય છે કે મોરારિબાપુ પહેલા પરિવારના પોષણ માટે રામકથામાં આવતું દાન સ્વીકારી લેતા હતા.દાનનો પ્રવાહ વધતા તેમણે 1977થી કોઈ દાનનો સ્વીકાર નહીં કરવાનું પ્રણ લીધું હ