Nadiad ટાઉન પોલીસે સાંજના સુમારે અચાનક શહેરના ખાડ વિસ્તારમાં બુટલેગરો પર તવાઈ બોલાવી છે. પોલીસ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવા નીકળી હતી, તે દરમિયાન એક બુટલેગરના ઘરમાંથી તો આકસ્મિક દારૂ અને બિયરની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ Nadiad ટાઉન પોલીસના પી.આઈ. એમ. બી. ભરવાડ પોતાના કાફલા સાથે આજે બપોરે 4 વાગ્યાના અરસામાં એકાએક અસામાજીક તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે ખાડ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રદીપ ઉર્ફે પપ્પુ ઉર્ફે ભોણાની ઘરે તપાસ કરી હતી.

જ્યાં આ Nadiadના બુટલેગર પ્રદીપના ઘરે પોલીસને લાઈવ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂના ક્વાટર અને બિયરોના ટીન મળી આવ્યા હતા. આ સિવાય રાહુલ ઉર્ફે બોડીગાર્ડના ઘરે પણ પોલીસની તપાસ ચાલુ છે. પોલીસ એમ.જી.વી.સી.એસ. અને મનપાની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી રહી છે.
આ બુટલેગરોના સ્થાનો પર તપાસ કરાઈ
- મહીન અમથા તળપદા
- રાહુલ ઉર્ફે બોડીગાર્ડ લાલજીભાઈ તળપદા
- ગોપાલ ઈશ્વરભાઈ તળપદા
- પ્રદીપ ઉર્ફે પપ્પુ ઉર્ફે ભાણો બોડીગાર્ડ દિલીપભાઈ વાઘેલા
- કમલેશ રાવજીભાઈ તળપદા
- શકુબેન રમેશભાઈ તળપદા
- જયંતી નવઘણભાઈ તળપદા
- કંકુબેન ઈશ્વરભાઈ તળપદા
- શારદાબેન હરીભાઈ તળપદા
- સુરજબેન પંડીતભાઈ તળપદા
- જળીબેન ઈન્દુભાઈ તળપદા

હાલ પોલીસ દ્વારા અસામાજીક તત્વોના વિસ્તાર ગણાતા ખાડમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. આ દરમિયાન પોલીસ અનેક બુટલેગરોના ત્યાં તપાસ કરશે. આ સાથે જ અત્રે હાલ પોલીસ પાંચેક ગાડીઓના કાફલા સાથે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો..
- Gujaratમાં 14 કિલોમીટર લાંબા 4 લેન બાયપાસ માટે કેન્દ્ર આપશે 705 કરોડ રૂપિયા, આ વિસ્તારોમાંથી પસાર થશે
- Gujaratમાં 14 કિલોમીટર લાંબા 4 લેન બાયપાસ માટે કેન્દ્ર આપશે 705 કરોડ રૂપિયા, આ વિસ્તારોમાંથી પસાર થશે નવો રોડ
- ઈંડા-માંસની દુકાનો 14 દિવસ બંધ રહે, Gandhinagar મેયરની માંગ; કમિશનરને પત્રમાં આપ્યું કઈ આવું કારણ
- Gujarat નો મત્સ્યોદ્યોગ હવે વધુ સલામત અને આધુનિક બનશે, “ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વિધેયક” સર્વાનુમતે પસાર
- Surya Grahan Time India : વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં 4.17 કલાકે શરૂ થશે, રાશિ મુજબ રાખો આ સાવચેતી