Morbi: માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવેમાં ભારે વરસાદના કારણે નુકસાની થઈ હોવાથી મેજર બ્રિજ કે જે અંદાજે ૪૦ વર્ષ જૂનો હોવાના કારણે હાલની સ્થિતિ – જોતા વાહન વ્યવહાર ચાલુ રાખવો યોગ્ય ન જણાતા આ બ્રિજનું ઈન્ફેક્શન તથા મરામત યોગ્ય રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ |હાઇવે સુધી દિન ૮ માટે ભારે વાહનોના – પ્રતિબંધ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Morbi: આ જાહેરનામા અનુસાર વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર જવા માટે અમદાવાદ કચ્છ તરફથી આવતો વાહન વ્યવહાર હાલ માળીયાથી પીપળીયા રસ્તાની જગ્યાએ માળિયાથી-મોરબી, ટંકારા, આમરણ, ધ્રોલ, લતીપરનાં રસ્તાનો ઉપયોગ કરશે. જામનગર આમરણ તરફથી આવતા વાહનો કચ્છ તરફ જવા માટે પીપળીયા ચાર રસ્તાથી નવલખી ફાટકથી રવિરાજ ચોકડીથી- માળિયા કે કચ્છ તરફ જઈ શકશે. આ જાહેરનામામાંથી સરકારી

વાહનો, નગરપાલિકાના વાહનો, પીજીવીસીએલના, વાહનો સબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ કોલેજના વાહનો, સામાજિક કે ધા મક પ્રસંગોને લગત ભારે વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. પીપળીયા ચાર રસ્તાથી માળિયા નેશનલ હાઈ-વે સુધી આઠ દિવસ માટે ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ