અમદાવાદ, આ સપ્તાહમાં ૧૫મી ઓગષ્ટથી માંડીને રક્ષાબંધનની રજા હોવાથી ઘણાં પરિવારોએ મીની વેકશનની રજા ગાળવા હરવા ફરવાના સ્થળોએ ઉપડ્યાં છે. જોકે, Udaipur માં બે વિદ્યાર્થીઓ વચ્ચે છુરાબાજીની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાઇ છે. એટલુ જ નહીં, તોફાનો થતાં Udaipur માં રજા માણવા ઇચ્છુક ગુજરાતીઓની રજાના રંગમાં ભંગ પડયા છે. છેલ્લી ઘડીએ હોટલ બુકિંગ રદ કરવા પડયાં છે. સાથે સાથે ટુર પેકેજ બદલવા પડ્યાં છે.

Udaipur માં વિદ્યાર્થીઓ વચ્ચે છુરાબાજીની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તોફાનો થતાં પોલીસ સ્થિતી પર નજર રાખી રહી છે. દરમિયાન, મીની વેકેશન માણવા માટે ગુજરાતી | પ્રવાસીઓએ ઉદયપુરમાં ત્રણ દિવસ- બે રાત્રીના ટુર પેકેજ પર જવાનું પસંદ | કર્યુ હતું પણ તોફાનોને પગલે ૧૦- ૨૦ ટકા હોટલ બુકિંગ રદ કરાયા છે.

માત્ર ઉદયપુરમાં જ વિવિધ હોટલોમાં અંદાજે ૨૦૦થી વધુ રુમ બુકિંગ કેન્સલ થયુ છે. ટુર ઓપરેટરોનું કહેવુ છેકે, ઉદયપુરમાં તંગદીલી છવાઈ છે પરિણામે ગુજરાતી પ્રવાસીઓએ હોટલ બુકિંગ રદ કરાવી કુંભલગઢ-રાણકપુર જવાનું પસંદ કર્યુ હતુ. આ ઉપરાંત ઘણાંએ તો ચિતોડગઢ પર પણ પસંદગી ઉતારી હતી. અમુક પરિવારોએ નાથદ્વારા જઈને રજાનો આનંદ માણ્યો હતો. ઉદયપુરમાં હોટલ બુકિંગ ૨૬ થતાં નાથદ્વારામાં મોટાભાગની હોટલો હાઉસફુલ થઇ હતી.

ઉદયપુરમાં તોફાનો થતાં ગુજરાતીઓની મીની વેકેશનની રજા બગડી ગઈ હતી તેનુ કારણ છે કે, ઉદયપુર ગુજરાતીઓનું હોટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. તોફાનોને પગલે ઉદયપુરમાં પણ બુકિગ રદ થતાં હોટલ સંચાલકોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. ગુજરાતીઓએ કુંભલગઢ, રાણકપુર રિસોર્ટમાં રજા માણી, નાથદ્વારામાં’ય હોટલો ફુલ થઈ ગઈ.