Kutch : લખપત તાલુકાના દયાપર ગામમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાડોશી દેશ પર કરેલા સફળ પ્રત્યાઘાતના સમર્થનમાં આ રેલી યોજાઈ હતીતાલુકા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર થઈને આઝાદ ચોક સુધી પહોંચી. રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજ્યા હતા.
રેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને અન્ય આગેવાનો જોડાયા. દયાપર પોલીસ મથકના પી.આઇ. ડી.બી. જાડેજા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. આઝાદ ચોક ખાતે યોજાયેલી સભામાં આગેવાનોએ ભારતીય સેનાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દુશ્મન દેશની હરકતનો ભારતીય જવાનોએ મક્કમ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો..
- North Korea એ અમેરિકા-દક્ષિણ કોરિયા-જાપાન લશ્કરી કવાયતને ખતરો ગણાવ્યો, કહ્યું – શક્તિનું અવિચારી પ્રદર્શન
- Sharad pawar: મરાઠાઓને અનામત આપવાથી SC, ST અને OBC પર અસર પડશે, સરકાર સામાજિક એકતાને નબળી પાડી રહી છે
- America: જો ટેરિફ ઘટાડવામાં નહીં આવે તો અમેરિકા સાથે વેપાર કરવામાં મુશ્કેલી પડશે’, અમેરિકાના વાણિજ્ય મંત્રીએ ભારતને ધમકી આપી
- Nana Patekar: તેઓએ આપણા લોકોનું લોહી વહેવડાવ્યું છે, તેમની સાથે કેમ રમવું’, ભારત-પાકિસ્તાન મેચ પર નાના પાટેકરનું નિવેદન
- Navjot singh: નાણા મંત્રાલયના ડેપ્યુટી ડિરેક્ટરનું રોડ અકસ્માતમાં મૃત્યુ, હાઇ સ્પીડ BMW કારે ટક્કર મારી