Kutch : લખપત તાલુકાના દયાપર ગામમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાડોશી દેશ પર કરેલા સફળ પ્રત્યાઘાતના સમર્થનમાં આ રેલી યોજાઈ હતીતાલુકા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર થઈને આઝાદ ચોક સુધી પહોંચી. રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજ્યા હતા.
રેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને અન્ય આગેવાનો જોડાયા. દયાપર પોલીસ મથકના પી.આઇ. ડી.બી. જાડેજા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. આઝાદ ચોક ખાતે યોજાયેલી સભામાં આગેવાનોએ ભારતીય સેનાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દુશ્મન દેશની હરકતનો ભારતીય જવાનોએ મક્કમ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો..
- Surat કોર્ટે 7 વર્ષની બાળકીની જૈન દીક્ષા પર લગાવી રોક, પિતાએ દાખલ કરી હતી અરજી
- અમેરિકાના દબાણના કારણે ભારત સરકાર ખેડૂતોની સબસીડીને દિવસેને દિવસે ઘટાડી રહી છે: Isudan Gadhvi
- CM Bhupendra Patel સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત 24મી ડિસેમ્બરે યોજાશે
- Horoscope: બધી 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- Maduro: માદુરો ઇલેક્ટ્રોનિક ઉપકરણો વિના જીવી રહ્યા છે, ક્યુબાના એજન્ટો 24 કલાક સુરક્ષા માટે તૈનાત





