Kutch : લખપત તાલુકાના દયાપર ગામમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાડોશી દેશ પર કરેલા સફળ પ્રત્યાઘાતના સમર્થનમાં આ રેલી યોજાઈ હતીતાલુકા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર થઈને આઝાદ ચોક સુધી પહોંચી. રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજ્યા હતા.
રેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને અન્ય આગેવાનો જોડાયા. દયાપર પોલીસ મથકના પી.આઇ. ડી.બી. જાડેજા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. આઝાદ ચોક ખાતે યોજાયેલી સભામાં આગેવાનોએ ભારતીય સેનાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દુશ્મન દેશની હરકતનો ભારતીય જવાનોએ મક્કમ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો..
- Kash Patel: અમેરિકાના “પ્રેમી” FBI વડા, કાશ પટેલે તેમની ગર્લફ્રેન્ડને મળવા માટે $500 કરોડના જેટમાં ઉડાન ભરી.
- Dharmendra: ૮૯ વર્ષીય ધર્મેન્દ્રની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
- Ahmedabad પોલીસે બોપલ સ્પા પર દરોડો પાડ્યો, મેનેજરની ધરપકડ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી 7 મહિલાઓને બચાવી
- Ludhiana: માં કબડ્ડી ખેલાડીની ગોળી મારી હત્યા, ઘટના SSP ઓફિસથી 200 મીટર દૂર
- Nepal: ૧૭ નવા રાજકીય પક્ષોએ નેપાળ ચૂંટણી પંચમાં નોંધણી માટે અરજી કરી




 
	
