Jamnagarમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા અને મકાઈની રેકડી ચલાવતા એક યુવાનને કોંગી કોપીરેટર એવા પૂર્વ વિપક્ષી નેતાએ માર માયી હોવાથી તેઓના ત્રાસના કારણે ફિનાઈલ પી લેવું હતું. આખરે ૧૮ દિવસ પછી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અને પોલીસે હુમલો કરનાર કોંગી કોપોરેટર સહિત બે સામે ગુનો નોંધ્યો છે. કોંગી કોર્પોરેટર અને સંબંધીનાં ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર મકાઈનાં ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી

આ બનાવની વિગત એવી છે Jamnagarમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા અને મકાઈની રેકડી| ચલાવતા શાહનવાજ શકીલભાઈ ચૌહાણ નામના ૨૨ વર્ષના યુવાને ગત ૧૬મીતારીખે ફિનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તે ભાનમાં આવી ગયા બાદ પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.

જે નિવેદનમાં તેને કે, Jamnagar મહાનગરપાલિકાના વિરોધ પક્ષનો | નેતા અને કોંગ્રેસ ના કોપીરેટર અસલમભાઈ ખીલજી અને મહમ્મદ ઉર્ફે મામલો અન્નરભાઈ પંજાએ માર માયી હોવાથી તેઓના ડરના કારણે ફીનાઇલ પીધું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાયા પછી પોતાના માતા-પિતા સાથે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો, અને કોપીરેટર અસલમ ખીલજી સહિત બંને સામે પોતાને ૧૬મી તારીખે માર મારી પટણી વાડમાં શુંકામ આવ્યો છે, અને ફરીથી આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાહેર કર્યું હતું. જે અંગે પીએસઆઈ ડી.જી. | રામાનુજે અસલમ ખીલજી અને મોહમ્મદ અન્નરભાઈ પંજા સામે બીએનએસ કલમ ૧૧૫(૨), ૩૫૨,૩૫૧, (૩) અને ૫૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને આ બનાવ સંદર્ભમાં અલગ અલગ વ્યક્તિના નિવેદનો નોંધવાનું શરૂ કર્યુ છે.