India Pakistan War : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુરૂવારની રાત્રિએ મોટાભાગના કચ્છમાં બ્લેકઆઉટથી અંધારપટ છવાયો હતો. આતંકી હુમલા બાદ ભારતે એરસ્ટ્રાઇક કરીને દુશ્મન દેશ પાકિસ્તાનને શબક શીખવાડ્યો છે, જેથી રઘવાયા બનેલા પાકિસ્તાને ગોળીબાર, મિસાઇલ એટેક કર્યો છે.
આ સમયે પાકિસ્તાનની સરહદને અડીને આવેલા દેશના પશ્ચિમી સાગરકાંઠાના કચ્છ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ઉચ્ચ કક્ષાએથી થયેલા આદેશ બાદ કચ્છ કલેક્ટર આનંદ પટેલે બ્લેકઆઉટનો આદેશ કરતાં મોટાભાગના કચ્છમાં અંધારપટ છવાયો હતો. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં રોડલાઇટ અને ઘરોની લાઇટો બંધ હતી.
પહેલગામમાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓ દ્વારા હિન્દુસ્તાની નાગરીકોને મારી નાખવામાં આવ્યા હતા. આ બાદ ભારતે 15 દિવસ બાદ Operation Sindoor અંતર્ગત પાકિસ્તારમાં આતંકવાદી ઠેકાણોઓ પર હુમલો કર્યો હતો. જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા અને બાદમાં પાકિસ્તાને પણ ભારત પર નિષ્ફળ હુમલાના પ્રયાસ કર્યા. આ વચ્ચે ભારત પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં અનેક ઠેકાણે ડ્રોન અને એર સ્ટ્રાઈક કરી છે. હવે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે.
આ સમયે ભારત દ્વારા સરહદી જિલ્લાઓના નાગરીકોને સુકક્ષિત રાખવા માટે તમામ સંભવ પ્રયાસ કરાઈ રહ્યા છે, જેમાં આ બ્લેકઆઉટ પણ મહત્વપૂર્ણ નિર્ણય છે.
આ પણ વાંચો..
- Pushkar singh dhami: કપાટ બંધ થવાના પ્રસંગે શ્રી કેદારનાથ ધામ પહોંચ્યા, રાજ્યના લોકો માટે સુખ, સમૃદ્ધિ અને સુખાકારીની કામના કરી
- ટેક-પોલીસિંગની દિશામાં gujarat policeની વધુ એક સિધ્ધિ, નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી ૮૦ ગુનાઓના ભેદ ઉકેલાયા
- Himanta Sharma લવ જેહાદ વિરુદ્ધ ઘડશે કાયદો, બહુપત્નીત્વ પર લગાવશે લગામ
- Ukraine રશિયાના સૌથી મોટા ગેસ પ્લાન્ટ પર ડ્રોન હુમલો, સપ્લાય થયો બંધ
- Valsadમાં માં ભારે પવન સાથે માવઠું , 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી