India Pakistan War : કચ્છના પ્રભારી સચિવ હર્ષદ પટેલ તેમજ કચ્છ કલેક્ટર આનંદ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો તેમજ ચૂંટાયેલા વિવિધ પદાધિકારીઓની હાજરીમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો સાથે બેઠક યોજવામાં આવી હતી. દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને જ્યારે પણ બ્લેકઆઉટની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવે ત્યારે વિલંબ કર્યા વિના તમામ લાઈટો બંધ કરવા જિલ્લા કલેક્ટરે સંસ્થાઓ, સંગઠનોના માધ્યમથી નાગરિકોને અપીલ કરી હતી.
આવી કોઈપણ પરિસ્થિતિને વહેલીતકે પહોંચી શકાય તે માટે તમામ સામાજિક, ધાર્મિક સંસ્થાઓએ જિલ્લા કલેક્ટરને ખાતરી આપતા જણાવ્યું હતું કે તેઓ માત્ર સૂચના આપવામાં આવે ત્યારે જ નહીં પણ નિયમિત રીતે સ્વયંભૂ બ્લેકઆઉટ પાળીને વહીવટીતંત્ર અને દેશના સંરક્ષણદળોને સહયોગ આપશે. આમ, વિવિધ સેવાભાવી, અગ્રણી સામાજિક અને અગ્રણી સંસ્થાઓએ કચ્છ જિલ્લામાં સ્વયંભૂ જ બ્લેકઆઉટ કરીને વહીવટીતંત્રને સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પ્રભારી સચિવ હર્ષદ પટેલ, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત ઉપસ્થિત ધારાસભ્યઓએ તમામ સંસ્થાઓ/સંગઠનના લોકોની સાથે રહીને સ્વયંભૂ બ્લેકઆઉટના નિર્ણયને બિરદાવ્યો હતો. આ બેઠકમાં સાસંદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વે કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, વિવિધ સામાજિક-શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ અને સંગઠનના પ્રમુખઓ તેમજ પ્રતિનિધિઓ, નગરપાલિકાના પ્રમુખઓએ દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાંજના સમયથી સવાર સુધી સ્વયંભૂ બ્લેકઆઉટ તેમજ રક્તદાન, ફૂડ અને પાણી જેવી વ્યવસ્થાઓમાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, અધિક નિવાસી કલેક્ટર ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ તેમજ સંગઠનોના પ્રમુખ, પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો..
- Trump ના દાવાઓનું ફરી એકવાર ખંડન, થાઇલેન્ડ કહે છે, “કોઈ યુદ્ધવિરામ નહીં, કંબોડિયા પર હુમલા ચાલુ રહેશે.”
- Odesa Port પર રશિયન મિસાઇલ હુમલાનો બદલો લેવા માટે યુક્રેને 24 કલાકની અંદર રશિયાના સારાટોવ પર બદલો લેવા માટે ડ્રોન હુમલો કર્યો
- Israeli હુમલાઓ બાદ, ગાઝામાં વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જાયો છે, જેના કારણે ભયાનક પરિસ્થિતિ સર્જાઈ
- Dhurandhar ના તોફાનમાં ઘણા મોટા રેકોર્ડ તૂટી ગયા, 10 વર્ષમાં ઇતિહાસ રચ્યો, પુષ્પા 2 અને જવાન જેવી ફિલ્મો પણ પાછળ રહી ગઈ
- “Rahul ના નેતૃત્વમાં, કોંગ્રેસ ઇતિહાસમાં દફન થઈ જશે, જેમ કે ઔરંગઝેબ…” સુધાંશુ ત્રિવેદી કેમ ગુસ્સે થયા?





