આજથી 9 વર્ષ પહેલા Morbi ના 13 વર્ષીય કિશોરની 2015 ની સાલમાં થયેલી હત્યા પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમે વર્ષો સુધી તપાસ કરવા છતાં કોઈ નિષ્કર્ષે સુધી ન પહોંચતા પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવી સીબીઆઈને તપાસ સોંપવા માગણી કરતા અદાલતે પરિવારની માગણી ગ્રાહ્ય રાખી તેમજ તપાસ સીબીઆઈ કરે તેવો હુકમ કર્યો છે.

Morbiના સૌથી ચકચારી નિખિલ હત્યા કેસને નવ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અગાઉ સ્થાનિક પોલીસ અને સીઆઈડીએ તપાસ કર્યા છતાં નવ વર્ષમાં હજુ હત્યારા પકડાયા નથી તેમજ હત્યાનું કારણ પોલીસ જાણી શકી નથી. જેથી પરિવારે સીબીઆઈ તપાસ માંગી હતી જેને હાઈકોર્ટે મંજુર કરી છે. હાઇકોર્ટે હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો હુકમ કર્યા છે

તા. ૧૫-૧૨-૨૦૧૫ ના રોજ શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાનો ૧૩ વર્ષનો પુત્ર નિખિલ તપોવન વિદ્યાલયમાંથી છૂટયા બાદ ઘરે પહોંચ્યો ના હતો અને પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં એક ઇસમ બ્લેક એક્ટિવામાં અપહરણ કરી જતો જોવા મળ્યો હતો. બાદમાં રામઘાટ પાસે કોથળામાં વીંટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

જોકે નિખિલના હત્યારા કોણ છે તેના સુધી પોલીસ પહોંચી સકી ના હતી કે કારણ પણ જાણી ના શકી હતી નિખિલ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય થયાનું પણ પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું. જેથી પરિવારની માંગણીને ધ્યાને લઈને તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી પરંતુ સીઆઈડી ટીમે પણ વર્ષ સુધી તપાસ ચલાવ્યા બાદ કોઈ પરિણામ લાવી શકી ના હોય જેથી પરિવારે ભમેં તપાસ માંગી હતી હાઈકોર્ટે નિખિલ હત્યા કેસમાં વષીની તપાસ બાદ પણ સીઆઈડી કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ના હોવાનું નોંધ્યું હતું અને પરિવારની માંગણી સ્વીકારી કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો છે.