Jamnagar જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે સાત વર્ષ પૂર્ણ કર્યા છે. એબ્લુયન્સ સેવા અનેક અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી આ અબોલ જીવો માટે દેવદૂત સમાન સાબિત થઈ છે. ઈએમઆરઆઈ જીએચએસ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાએ ૨૯૩૧૫ પશુઓને સારવાર આપી નવજીવન આપ્યું છે.

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સ્તુત્ય કામગીરી પશુપાલન વિભાગ, ગુજરાત | સારવાર કરાઈ છે.

રાજ્ય અને ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે Jamnagar શહેરમાં બિનવારસી પશુઓની સારવાર માટે ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.

છેલ્લા બે વર્ષમાં જ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા ૭૬૦૩ શ્વાન, ૨૦૨૫ ગાય, ૮૩૩ બિલાડી, ૨૭૩ કબૂતર, સુરખાબ, અજગર, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા, ઉંટ, બાજ વગેરે મળી કુલ ૧૦૮૧૯ પશુ-પક્ષીઓની નિઃશુલ્ક કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ના તાલીમબધ્ધ કર્મચારીઓ તમામ દવાઓ તેમજ અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે. જેમાં એક વેટરનટી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે. બિનવારસુ પશુ-પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં જરૂર જણાયે તાત્કાલિક સ્થળ પર જ નાના મોટા તેમજ જટીલ ઓપરેશન પણ કરવામાં આવે છે.