Gopal Italia: વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ વાંદરવડ ગામે આત્મહત્યા કરનાર ખેડુત પરીવારની મુલાકાત લીધી. જયાં ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી કે, સહકારી મંડળી કૌંભાડમાં ખેડુતોને ફસાવી પૈસા ભરવાની નોટીસ આપતા વાંદરવડ ગામાના લાચાર ખેડૂતે આત્મહત્યા કરી છે.
મળતી માહિતી અનુસાર ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વાંદરવડ ગામમાં આવ્યા ત્યારે ખેડુતોએ સવાલ પુછતા ખેડુતોને ધમકાવીને વિડીયો ડિલીટ કરાવ્યા છે.જો ચૂંટણી સમયે ખેડૂતોની વાત સાંભળવામાં નહીં આવે તો પાંચ વર્ષ સુધી તો આ લોકો દેખાશે પણ નહીં.ફક્ત એક ગામના નહીં પરંતુ જૂનાગઢના 100 ગામના ખેડૂતો કિરીટ પટેલને સવાલ પૂછવા માંગે છે.
વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, સહકારી મંડળીના ચેરમેન કિરીટ પટેલના કાર્યકાળમાં ખેડૂતો સાથે 200 કરોડનું કૌભાંડ થયું છે. કિરીટ પટેલના કાર્યકાળ દરમિયાન અને ખેડૂતો સાથે અન્યાય થતા ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી.