નડિયાદ શહેરમાં દેસાઈવગો-રબારીવાડ પાસે મોટી સંખ્યામાં Hospital આવેલી છે. અત્રે પારસ સર્કલથી દેસાઈ વગા તરફ જવાના રસ્તે આડેધર પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જો કે, ટાઉન પોલીસ અને ટ્રાફિક વિભાગની ઉંધ ન ઉડતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વખત આવી રહ્યો છે.
નડિયાદ શહેરમાં દેસાઈવગો અને રબારીવાડ વિસ્તારમાં અનેક Hospital આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલોમાં જતા હોય છે. અત્રે શહેરના મુખ્ય રસ્તો ગણાતા સંતરામ રોડ પર પારસ સર્કલ પાસેથી આ હોસ્પિટલો તરફ જવાનો મુખ્ય માર્ગ એક વરસાદી કાંસને અડોઅડ આવેલો છે. પરંતુ આ રસ્તા પર આડેધર પાર્કિંગ કરાયેલુ હોય છે. ખાસ કરીને રીક્ષાચાલકો વચ્ચોવચ ઉભા રહી જાય છે.
આ સિવાય આખા રસ્તા પર રખડતા ઢોરો પણ અડીંગો જમાવીને બેઠેલા હોય છે. તો વળી, અત્રે મોટી સંખ્યામાં વાહનોની પણ અવર-જવર રહેતી હોવાથી ત્યાં ભારોભાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જો કે, આ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નડિયાદ ટાઉન પોલીસથી માંડી ટ્રાફિક વિભાગ અને મનપા પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેના કારણે દર્દીઓ અને ખાસ કરીને એમ્બ્યુલન્સને ત્યાંથી પસાર થવામાં સમસ્યા થઈ રહી છે.
આ મામલે ત્વરીl પોલીસ અને મનપા પ્રશાસન દ્વારા યોગ્ય નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરાય તેવી માંગણઈ પ્રબળ બની છે. તેમજ આ મામલે કાયમી ઉકેલ લાવવા માટે પણ વિચારણા કરાય તેવી માગ છે.
આ પણ વાંચો..
- તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારના એક ગામને ‘પ્રાકૃતિક ગામ’ બનાવવા રાજ્યપાલ Acharya Devvratનું આહવાન
- Horoscope: 28 ફેબ્રુઆરીનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો આજનું રાશિફળ
- T20: જેક્સ અને રેહાન ઇંગ્લેન્ડને જીત તરફ દોરી ગયા, ન્યુઝીલેન્ડને ફટકો પડ્યો, શું પાકિસ્તાન હવે સેમિફાઇનલમાં રમશે?
- shashi tharoor: હાઈકમાન્ડ સાથે સમાધાન પછી વલણમાં ફેરફાર કેમ?: કેરળ વિરુદ્ધ કેરળમ વિવાદ ચાલુ, બ્રિટાસે થરૂર પર વળતો પ્રહાર કર્યો
- IPLની 19મી આવૃત્તિનો ઉત્સાહ ક્યારે શરૂ થશે? ફાઇનલની તારીખ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.





