Gujarat : સિલવાસા પાસે આવેલા લવાંછા વિસ્તારમાં શુક્રવારની સવારે એક હૃદયવિદારક ઘટના સામે આવી છે. દાદરા રહેતા અને માત્ર 14 વર્ષના બે માસૂમ મિત્રો પાણી ભરેલા ગડ્ડામાં ડૂબી જતા તેમનું દુઃખદ અવસાન થયું છે.
મૃતક બંને બાળકોની ઓળખ રોહન સી. પાટીલ અને કુણાલ સુધીર રાય તરીકે થઈ છે. બંને દાદરા વિસ્તારમાં રહેતા હતા અને સવારે રમત રમવા કે ફરવા નીકળ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. આ દરમિયાન લવાંછા વિસ્તારમાં આવેલા પાણી ભરાયેલા એક ખાડામાં બંને ડૂબી ગયા હતા.
ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને ગોતાખોરોની મદદથી બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બંનેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ કરૂણ ઘટનાથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે અને સમગ્ર દાદરા તથા લવાંછા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલે પોલીસ ઘટનાની તપાસ હાથ ધરી છે અને ગડ્ડામાં પાણી ભરાવાની પરિસ્થિતિ અંગે પણ માહિતી એકઠી કરી રહી છે.
આ પણ વાંચો..
- Ahmedabad ના વરિષ્ઠ નાગરિક સાથે ઓનલાઈન રોકાણ કૌભાંડમાં ₹35 લાખની છેતરપિંડી
- Trumpના ભાષણ દરમિયાન ઇઝરાયલી સંસદમાં હોબાળો મચી ગયો, જેમાં બે સાંસદોએ વિરોધ કર્યો
- Anita Anand: ભારત-કેનેડા વેપાર સંબંધોમાં પરિવર્તન જોવા મળશે,” અનિતા આનંદની નવી દિલ્હી મુલાકાત અંગે નિષ્ણાતો
- Jaishankar: જયશંકર-આનંદ બેઠકમાં ભારત-કેનેડા સંબંધોમાં ઉષ્માનો નવો માહોલ, નવો રોડમેપ તૈયાર
- Nobel prize: જોએલ મોકિર, ફિલિપ એગિઓન અને પીટર હોવિટ માટે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત