Gujarat રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લાઓને 10 કલાક પાવર ફાળવવામાં આવ્યો છે. અગાઉ 8 કલાક વીજળી મળતી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના અનેક ગામડાઓમાં ખેડૂતોને પુરતો વીજ પુરવઠો મળતો ન હોવાની ફરિયાદો મળી રહી છે. ત્યારે ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે.

ખેડૂતોએ માંગ કરી હતી
તમને જણાવી દઈએ કે, અગાઉ Gujaratના ખેડૂતો દ્વારા વીજળીના કલાકો વધારવાની માંગ કરવામાં આવી હતી. આ માંગને ધ્યાનમાં રાખીને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્રમાં હાલમાં મગફળીનું વાવેતર થઈ રહ્યું છે. વધુ વીજ પુરવઠો આપવાની માંગણી કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજ પુરવઠો શરૂ થયો છે.