Gujarat News : સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ અને દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસનો રૂટ બદલવામાં આવ્યો છે. બંને ટ્રેનો હવે બદલાયેલા રૂટ પર દોડશે. ડિવિઝનલ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર રેલવે સેક્શન પર કમલી અને ઊંઝા સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 926ના પુનઃનિર્માણ માટેના એન્જિનિયરિંગ કાર્યને કારણે સાબરમતી-યોગનગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ ડાયવર્ટ રૂટ પર દોડશે.

આ ટ્રેનો ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય. 11 માર્ચે સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 19031 સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ નિર્ધારિત રૂટ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુરને બદલે મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને દોડશે. તે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.

ટ્રેન નં. 19032 યોગનગરી ઋષિકેશ – સાબરમતી યોગા એક્સપ્રેસ, યોગનગરી ઋષિકેશથી 10 માર્ચે દોડશે, જે નિયત રૂટ પાલનપુર-ઊંઝા-સિદ્ધપુર-મહેસાણાના બદલે બદલાયેલા રૂટથી પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને દોડશે અને ઊંઝાને સિદ્ધપુર સ્ટેશન પર નહીં જાય.

ટ્રેન નંબર 19412 દૌલપુર ચોકથી 10 માર્ચે દોડતી દૌલપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત રૂટ પાલનપુર – ઊંઝા – સિદ્ધપુર – મહેસાણાના બદલે બદલાયેલા રૂટથી પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને દોડશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો.