Gujarat:બગસરાના પ્રૌઢ વેપારીને લગ્ન કરાવી દેવાની લાલચ આપી વલસાડની મહિલા અને તેના ત્રણ પુરૂષા સાથીદારોએ રૂા.૧.૪૦ લાખ રોકડા પડાવી લઈ લગ્ન પૂર્વે લગ્ન કરાર કરાવ્યા બાદ આ ટોળકી રફુચક્કર થઈ જતાં વેપારીએ બગસરા પોલીસ મથકમાં વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ કરી છે.

Gujarat: વલસાડ પંથકની મહિલા અને તેના ત્રણ સાથીદારો સામે વિશ્વાસઘાત, છેતરપિંડીની પોલીસ ફરિયાદ

બગસરામાં રહેતા દિનેશભાઈ | જયસુખભાઈ સોમાણી (ઉ.વ.૪૨) રહે. અમરાપરા (ભવાની કોમ્પલેક્ષા) દવાખાના પાસેના વેપારીએ ફરિયાદ કરી છે કે નાનજીભાઈ આહીર (રહે. વેકરીયા તાલુકો વિસાવદર) વિરાલભાઈ ગઢવી | (રહે. ધરમપુર ચોકી જિલ્લો વલસાડ) સંજયભાઈ પટેલ (રહે. પાનેરા જિલ્લો | વલસાડ) વિગેરેએ શબીનાબેન વિનુભાઈ | વળવી (રહે. પાનેરા જિલ્લો વલસાડ) સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી લગ્ન કરાર લખાવી આપ્યા હતા.

તેમજ ૧૪૦૦૦૦ એક લાખ ચાલીસ હજાર વસુલી ચૂનો લગાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. જયારે ફરિયાદી દ્વારા આ ચારેય વ્યક્તિઓ વિરૂધ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. જયારે જેની તપાસ પીએસઆઈ ડી.ડી. ડાંગર ચલાવી રહેલછે.