Gujarat : અમરેલીના ગિરિયા રોડ પર આજે, 22 એપ્રિલ 2025ના રોજ, એક દુઃખદ વિમાન દુર્ઘટના ઘટી છે. વિઝન ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટના તાલીમ માટેના વિમાન VT-VDFનું રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં મહારાષ્ટ્રના તાલીમાર્થી પાયલટ અનિકેત મહાજનનું સ્થળ પર જ મોત થયું છે .

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન ક્રેશ થતાં જ બે બ્લાસ્ટ થયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, આગ પર કાબૂ મેળવ્યો અને બચાવ કામગીરી શરૂ કરી છે.
આ દુર્ઘટના અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં, એરપોર્ટની નજીક ઘટી હતી. વિમાન તૂટી પડતાં તે ઝાડ નીચે પડ્યું, જેના કારણે બે વાછરડાં પણ સળગી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ મહેસાણા અને જામનગરમાં પણ પ્લેન ક્રેશની ઘટનાઓ બની હતી, જેનાથી વિમાન સુરક્ષા અંગે ચિંતા વધતી જાય છે .
આ પણ વાંચો..
- Cricket: ભારત અંડર-૧૯ એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું, વિહાન અને જ્યોર્જ ચમક્યા; પાકિસ્તાન સાથે ટાઇટલ ટક્કર
- Bangladesh: હસીના સરકારના ભૂતપૂર્વ મંત્રીએ દાવો કર્યો છે કે ચૂંટણીમાં વિલંબ કરવા માટે રમખાણોનું આયોજન કરવામાં આવ્યું છે
- Medicine: નવેમ્બરમાં 64 દવાઓ ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ ગઈ, 200 થી વધુ દવાના નમૂનાઓ ગુણવત્તાહીન મળ્યા
- તમિલનાડુ અને ગુજરાતમાં SIR નું કામ પૂર્ણ, બંને રાજ્યોમાં 15 મિલિયનથી વધુ મતદારો ઘટ્યા; ડ્રાફ્ટ યાદી જાહેર
- Russia: રશિયન દળો યુક્રેનના વધુ વિસ્તારો કબજે કરશે,’ વ્લાદિમીર પુતિને વાર્ષિક ઓનલાઈન સત્રમાં જાહેરાત કરી





