Gujarat: બગસરા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ ફીટીંગ વખતે રાખવામાં આવતી બેદરકારીને પગલે શહેરમાં આજે બે ગાયોના મોત નીપજ્યા હતા. આ ગાયોના માલિકને પણ વીજ કરંટ લાગ્યા બાદ માંડ બચ્યો હતો.

Gujarat: બગસરા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ ફીટીંગમાં વાયરના જોડાણ વખતે ત્યાં ટેપ લગાડવામાં આવતી ન | હોવાની ફરિયાદ અનેક વખત કરવામાં આવી છે. પરંતુ આ ટેપ ના લગાડેલ હોવાથી શહેરના નદીપરા વિસ્તારમાં શનિવારે સવારે નનુભાઈ રૈયાભાઈ ભરવાડને ત્યાં બે ગાર્યો વાડામાં બાંધેલી હતી.

જે વાડાના લોખંડના દરવાજા સાથે સ્ટ્રીટ લાઈટનો વીજવાયર સંપર્કમાં આવતા વાડામાં બંને ગાયોના વીજ કરંટથી મોત નીપજ્યા હતા. આ બાબતે કંઈક અજીબ તો બન્યું હોવાની શંકાથી નનુભાઈ પોતે વાડામાં આવતા હતા તે સમયે તેમને પણ વીજ કરંટ લાગતા દુર ફંગોળાયા હતા. જોકે તેમનો આકસ્મિક બચાવ થયો હતો. સ્ટ્રીટલાઈટનો ખુલ્લો વીજવાયર લોખંડનાં ડેલાને અડી જતાં દૂર્ઘટના ઘટી હતી.