Gujarat: રવિવારે મોડી રાત્રે જમ્મુ તાવી-સાબરમતી એક્સપ્રેસમાં ટ્રેન એટેન્ડન્ટ દ્વારા ઉધમપુરમાં તૈનાત ગુજરાતના એક ભારતીય સેનાના જવાનની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. પીડિત જીગર કુમાર ચૌધરી, ગુજરાતના સાબરમતી સ્થિત પોતાના પરિવારને મળવા માટે પંજાબના ફિરોઝપુર ખાતે સાબરમતી એક્સપ્રેસમાં ચઢી ગયો હતો. અહેવાલો અનુસાર, રાત્રે 11 વાગ્યાની આસપાસ, લુંકરનસર સ્ટેશન નજીક, ચૌધરીનો બેડશીટને લઈને ટ્રેનમાં કેટલાક ટ્રેન એટેન્ડન્ટ્સ સાથે ઝઘડો થયો હતો.
દરમિયાન, એક કોચ એટેન્ડન્ટે કથિત રીતે જીગર પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ સૈનિકને પીબીએમ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતો, પરંતુ પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
જીઆરપી સર્કલ ઇન્સ્પેક્ટર આનંદ ગિલાએ જણાવ્યું હતું કે, “આ ઘટના 2 નવેમ્બરની રાત્રે 11 વાગ્યાની આસપાસ, લોનકરણ રેલ્વે સ્ટેશનથી ઉપડી રહેલી ફિરોઝપુર-સાબરમતી એક્સપ્રેસમાં બની હતી. કોચ એટેન્ડન્ટ અને સૈનિક વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે એટેન્ડન્ટે તેને છરી મારી દીધી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.”
27 વર્ષીય જીગર કુમાર ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને રજા પર ઘરે પરત ફરી રહ્યા હતા. તેમના પરિવારે કહ્યું કે તે એક જવાબદાર અને સમર્પિત સૈનિક હતો, તેના લગ્ન ફક્ત બે વર્ષ પહેલા જ થયા હતા.
આ ઘટના બાદ, તેમનો પરિવાર ગુજરાતથી બિકાનેર ગયો. દુર્ઘટનાના સમાચાર મળતાં, સેનાના અધિકારીઓએ તપાસ માટે એક ટીમ મોકલી હતી, અને સૈનિકના મૃત્યુથી સમગ્ર દળ શોકમાં ડૂબી ગયું છે.
આ પણ વાંચો
- Ahmedabad: 20 રૂપિયાના લાંચ કેસમાં 29 વર્ષ પછી નિર્દોષ જાહેર થયા પોલીસ કોન્સ્ટેબલ, બીજા દિવસે થઇ મોત
- CM Bhupendra Patelએ બનાસકાંઠાની દીકરીને આપેલું વચન પાળ્યું, જે કહેવું તે કરવું’નો વડાપ્રધાનનો આપેલો કાર્યમંત્ર મુખ્યમંત્રીએ સાકાર કર્યો
- ગાંધી અને સરદારના નામે ગુજરાતમાં દારૂબંધીનું નાટક બંધ કરો, પૂર્વ સીએમ Shankarsinh Vaghelaએ પોલીસ પર કર્યા આકરા પ્રહારો
- Vadodara: સગીરે શાળામાં જુનિયર વિદ્યાર્થીની કરી હતી હત્યા, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
- Kutchમાં ગર્જ્યું બુલડોઝર, આઇકોનિક રોડ પ્રોજેક્ટ માટે તોડી પાડવામાં આવ્યા 245 ગેરકાયદે બાંધકામો





