Gujarat : બાલિઠા અને મોરાઈ વિસ્તારમાં આજે સવારે મહાનગર પાલિકાએ અવૈધ રીતે ચાલતા ભંગાર (કબાડ)ના ગોડાઉનો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને ડિમોલિશન ડ્રાઈવ ચલાવતાં આ ગોડાઉનો પર બુલડોઝર ફરવવામાં આવ્યા હતા.

પાલિકાની અનેકવારની ચેતવણીઓ છતાં જ્યારે ગોડાઉન માલિકોએ નિયમોનું પાલન નહોતું કર્યું, ત્યારે પાલિકા દ્વારા કડક હાથે પગલાં લઈ આ અવૈધ ઢાંચારૂપ ગોડાઉનોને ધરાશાયી કર્યા.
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે હાજર રાખવામાં આવ્યું હતું. અધિકારીઓની હાજરીમાં બુલડોઝર દ્વારા એક પછી એક અનેક ગોડાઉન ધરાશાયી કરવામાં આવ્યા.

સ્થાનિક લોકો દ્વારા આ પગલાની સરાહના કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ગોડાઉનોએ વિસ્તારને ગંદકી, આગજની અને અસુરક્ષાનું કેન્દ્ર બનાવી દીધું હતું.

મહાનગર પાલિકા અધિકારીઓએ જણાવ્યું કે આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને કોઈપણ અવૈધ બંધાણું માટે છૂટ આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો..
- સુરત કોર્ટનો ચુકાદો: કિશોરીને થપ્પડ મારવાના ગુનામાં 25 વર્ષીય યુવકને 3 વર્ષની જેલ
- સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને 50% થી પણ વધારે ફીમાં વધારાથી ખૂબ જ આર્થિક નુકસાન થશે: Yatrik Patel AAP
- ગુજરાતની અનેક તાલુકા પંચાયત સીટના પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી: AAP
- Suratમાં નકલી વિઝા બનાવતી ગેંગનો પર્દાફાશ, નકલી સ્ટીકરવાળા હોલમાર્કવાળા કાગળો જપ્ત
- રાયપુરમાં ઈડીની મોટી કાર્યવાહી: 3 કૃષિ વેપારીઓના સ્થળો પર દરોડા