Gujarat: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે લોકદરબાર દરમિયાન થયેલા હુમલાખોરની ઓળખ બહાર આવી છે. ઘટનાના તરત બાદ જ પોલીસે આરોપીને કાબૂમાં લઈ ધરપકડ કરી હતી. સૂત્રો મુજબ, પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા હોવાનું જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી અને ઉંમરે 41 વર્ષનો છે. આ હુમલામાં CM રેખા ગુપ્તાના માથા પર સામાન્ય ઈજા પહોંચી હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું. હંમેશની જેમ સવારે સાત વાગ્યે લોકદરબાર ચાલી રહ્યો હતો, જેમાં સેંકડો લોકો ફરિયાદ લઈને આવ્યા હતા. એ સમયે રાજેશ એક બેગ અને કેટલાક દસ્તાવેજો સાથે મુખ્યમંત્રી પાસે પહોંચ્યો હતો.
હુમલાની રીત
પ્રત્યક્ષદર્શીઓ મુજબ, આરોપી શરૂઆતમાં ફરિયાદી તરીકે દસ્તાવેજો આપીને નજીક ગયો, બાદમાં અચાનક જોરથી બૂમો પાડવા લાગ્યો અને તરત જ મુખ્યમંત્રી પર હુમલો કરી દીધો. આ હુમલામાં રેખા ગુપ્તાને માત્ર હળવી ઈજા થઈ અને હાલ તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે. ભાજપના નેતાઓએ આ ઘટનાની પાછળ રાજકીય ષડયંત્ર હોવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ આરોપીની ધરપકડ બાદ પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે.
માનસિક અસ્થિરતા અંગે પરિવારનો દાવો
હુમલાખોર રાજેશ માનસિક રીતે બીમાર હોવાનું તેની માતા ભાનુબેનનું કહેવું છે. તેઓએ જણાવ્યું કે રાજેશ વારંવાર પરિવારજનો પર હુમલો કરે છે, પરંતુ બહારના કોઈ પર ક્યારેય હુમલો કર્યો નથી. તે રોજિંદું રિક્ષા ચલાવે છે, પશુઓને ભોજન આપે છે અને પડોશીઓ સાથે સારો વ્યવહાર કરે છે. પડોશીઓએ પણ રાજેશના માનસિક સ્વાસ્થ્યને અસ્થિર ગણાવ્યું છે.
સરકાર અને પોલીસની પ્રતિક્રિયા
દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આ હુમલાને “અક્ષમ્ય અને નિંદનીય ગુનો” ગણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, એક મહિલા અને દીકરી જે દિવસ-રાત લોકોની સેવા કરે છે, તેના પર હુમલો કરવો કાયરતાપૂર્ણ કૃત્ય છે. જે લોકો તર્ક અને તથ્યના આધારે વાત નથી કરી શકતા, તેઓ જ આવા કૃત્યો કરે છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આરોપીની પૃષ્ઠભૂમિ અંગે પણ વધુ વિગતો એકત્રિત કરી રહી છે.
આ પણ વાંચો
- Pakistan: પાક-અફઘાન સરહદ પર તણાવ, સ્પિન બોલ્ડક-ચમન ક્રોસિંગ બંધ, અફઘાન દળો હાઇ એલર્ટ પર
- Botadના ખેડૂતોની મહાપંચાયતમાં ઘર્ષણ: પોલીસ પર પથ્થરમારો, અનેક લોકોની ધરપકડ
- Smriti mandhana: એક પછી એક રેકોર્ડ… સ્મૃતિ મંધાના અણનમ છે, પહેલી વાર મહિલા વનડેમાં આટલા બધા રન બનાવી રહી
- Netanayahu શાંતિ પ્રસ્તાવથી નાખુશ હતા; જાણો ટ્રમ્પે “ડેડ કેટ ડિપ્લોમસી” નો ઉપયોગ કરીને યુદ્ધવિરામમાં કેવી રીતે મધ્યસ્થી કરી
- Rajnikant: સિનેમાઘરો ફરી ધૂમ મચાવશે… કુલીની સફળતા પછી, રજનીકાંત આ દિગ્દર્શક સાથે જોડાયા છે.