Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૭૯માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે. આ પ્રજાજોગ સંદેશ આજે તારીખ ૧૪ ઓગષ્ટના રોજ વિવિધ ટીવી ચેનલ્સ પર પ્રસારિત થશે.
વી.આર. લાઈવ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે, ઝી-૨૪ કલાક ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે, નિર્માણ ન્યુઝ ચેનલ પર સાંજે ૭:૦૦ વાગ્યે, બુલેટિન ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ચેનલ પર સાંજે ૬:૦૦ વાગ્યે, ન્યુઝ કેપિટલ ચેનલ પર સાંજે ૬:૧૫ વાગ્યે, મંતવ્ય ન્યુઝ ચેનલ પર સાંજે ૦૫:૪૫ વાગ્યે, ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ચેનલ પર ૭: ૩૦, ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે, ટી.વી.૧૩ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે પ્રસારિત થશે.
આ ઉપરાંત, સી.એન.બી.સી. બજાર પર સાંજે ૭:૦૦ વાગ્યે, GTPL ચેનલ પર સાંજે ૬:૩૦ વાગ્યે, ઇન-કેબલ ટી.વી. ચેનલ ઉપર રાત્રે ૭.૩૦ વાગ્યે પણ મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ પ્રસારિત થશે. મુખ્યમંત્રીના આ સંદેશનું પ્રસારણ ડીડી ગીરનાર ચેનલ પરથી આવતી કાલે ૧૫ ઓગષ્ટના સવારે ૯.૦૦ વાગ્યે થવાનું છે.