Gujaratમાં નડિયાદની તત્કાલિન નગરપાલિકાએ ઉતાવળે સીટી બસ સેવા શરૂ કરી દીધી હતી. તે સમયે તત્કાલિન ચીફ ઓફીસર અને હાલના ડે. કમિશ્નર દ્વારા જરૂરી દસ્તાવેજો ચકાસ્યા વિના જ બસને લીલી ઝંડી આપી દેવાઈ હતી. જે બાદ 20 દિવસ સુધી આ સીટી બસો દોડી અને વિવાદ થતાં પાછી તેના પૈડા થંભી ગયા હતા.
Gujarat નડિયાદના નગરજનોનું સીટી બસમાં મુસાફરીનું સ્વપ્ન અધિકારીઓના પાપે પૂર્ણ થઈ શકતુ નથી. તત્કાલિન ચીફ ઓફીસર અને હાલના ડે. કમિશ્નર રૂદ્રેશ હુદળ દ્વારા જે-તે સમયે ઉતાવળે સીટી બસનો કોન્ટ્રાક્ટ કરી નાખવામાં આવ્યો હતો.
આ કોન્ટ્રાક્ટ દરમિયાન નિયમોનુસાર ચીફ ઓફીસરે સીટી બસોના તમામ મહત્વ દસ્તાવેજોની ખરાઈ કરવાની હોય છે અને સીટી બસના કોન્ટ્રાક્ટમાં જ આ દસ્તાવેજો પણ ચકાસવાની ખાસ જોગવાઈ છે, તેવા સમયે ચીફ ઓફીસર દ્વારા કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જ કોન્ટ્રાક્ટને મંજૂરી આપી દીધી હતી.
જે બાદ સીટી બસ શરૂ થઈ અને બાદમાં RTOને લગતી કોઈ પણ કાર્યવાહી આ સીટી બસના કોન્ટ્રાક્ટરે ન કરી હોવાનું સામે આવ્યુ હતુ. આ વિવાદ છેડાયો અને તે બાદ સીટી બસના પૈડા થંભી ગયા હતા.
આ સમગ્ર બાબત માટે તત્કાલિન ચીફ ઓફીસરે કોના દબાણવશ દસ્તાવેજો પણ ચકાસ્યા વિના સીટી બસ શરૂ કરવાનો નિર્ણય લીધો? તે તપાસનો વિષય છે. તેમજ હવે આ કોન્ટ્રાક્ટ રદ્દ કરાયો છે કે પછી પુનઃ સીટી બસો દોડાવાશે? તે અંગે નગરજનોમાં પણ પ્રશ્નો ઉઠ્યા છે.
આ પણ વાંચો..
- Badshah: ઈશા રિખી કરતાં બાદશાહ કેટલા મોટા છે? ગુપ્ત લગ્નની અફવાઓ વચ્ચે ઉંમરના તફાવત વિશે પ્રશ્નો ઉભા થાય છે
- axar patel: કઈ ઘટનાએ અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં પ્રવેશ અપાવ્યો? તેણે ખુલાસો કર્યો
- ranveer singh: કર્ણાટક હાઈકોર્ટમાં ‘કાંતારા’ મિમિક્રી વિવાદ: રણવીર સિંહના કેસ પર એપ્રિલમાં સુનાવણી; કોર્ટે શું કહ્યું?
- Baqer: બાકર ઝોલકાદર કોણ છે? લારીજાનીના સ્થાને ઈરાનની સુરક્ષા પરિષદના સચિવ તરીકે નિયુક્ત
- Owaisi: ઇસ્લામ કોઈની સંપત્તિ નથી, પેલેસ્ટાઇનની અલ-અક્સા મસ્જિદ મુસ્લિમો માટે કેમ મહત્વપૂર્ણ છે? ઓવૈસીએ પાવર કોન્ફરન્સમાં વાત કરી





