Gujaratમાં નડિયાદની તત્કાલિન નગરપાલિકાએ ઉતાવળે સીટી બસ સેવા શરૂ કરી દીધી હતી. તે સમયે તત્કાલિન ચીફ ઓફીસર અને હાલના ડે. કમિશ્નર દ્વારા જરૂરી દસ્તાવેજો ચકાસ્યા વિના જ બસને લીલી ઝંડી આપી દેવાઈ હતી. જે બાદ 20 દિવસ સુધી આ સીટી બસો દોડી અને વિવાદ થતાં પાછી તેના પૈડા થંભી ગયા હતા.
Gujarat નડિયાદના નગરજનોનું સીટી બસમાં મુસાફરીનું સ્વપ્ન અધિકારીઓના પાપે પૂર્ણ થઈ શકતુ નથી. તત્કાલિન ચીફ ઓફીસર અને હાલના ડે. કમિશ્નર રૂદ્રેશ હુદળ દ્વારા જે-તે સમયે ઉતાવળે સીટી બસનો કોન્ટ્રાક્ટ કરી નાખવામાં આવ્યો હતો.
આ કોન્ટ્રાક્ટ દરમિયાન નિયમોનુસાર ચીફ ઓફીસરે સીટી બસોના તમામ મહત્વ દસ્તાવેજોની ખરાઈ કરવાની હોય છે અને સીટી બસના કોન્ટ્રાક્ટમાં જ આ દસ્તાવેજો પણ ચકાસવાની ખાસ જોગવાઈ છે, તેવા સમયે ચીફ ઓફીસર દ્વારા કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જ કોન્ટ્રાક્ટને મંજૂરી આપી દીધી હતી.
જે બાદ સીટી બસ શરૂ થઈ અને બાદમાં RTOને લગતી કોઈ પણ કાર્યવાહી આ સીટી બસના કોન્ટ્રાક્ટરે ન કરી હોવાનું સામે આવ્યુ હતુ. આ વિવાદ છેડાયો અને તે બાદ સીટી બસના પૈડા થંભી ગયા હતા.
આ સમગ્ર બાબત માટે તત્કાલિન ચીફ ઓફીસરે કોના દબાણવશ દસ્તાવેજો પણ ચકાસ્યા વિના સીટી બસ શરૂ કરવાનો નિર્ણય લીધો? તે તપાસનો વિષય છે. તેમજ હવે આ કોન્ટ્રાક્ટ રદ્દ કરાયો છે કે પછી પુનઃ સીટી બસો દોડાવાશે? તે અંગે નગરજનોમાં પણ પ્રશ્નો ઉઠ્યા છે.
આ પણ વાંચો..
- તમારી લાગણીઓને અહીં લાવશો નહીં; SC તરફથી Mahatma Gandhi ના પૌત્રને ઝાટકો, સાબરમતી આશ્રમની અરજી ફગાવી
- કતલ કરવા જઈ રહેલી મરઘીઓ માટે Anant Ambani બન્યા મસીહા, કહ્યું…
- કોંગ્રેસ નેતા Girija Vyasની હાલત ગંભીર, પૂજા દરમિયાન લાગેલી આગમાં 89% દાઝી ગયા
- 300 મીટર દૂર સુધી ઉડ્યા ચીથડાં; GUJARATમાં 21 લોકોના મોતનું કારણ કેવી રીતે બન્યું ફટાકડાનું કારખાનું? માલિકની ધરપકડ
- Horoscope: જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ