Gujarat : દાદરા નગર હવેલીના દપાડા ગામેથી કરચોન ગામે લગ્નપ્રસંગ માટે જાન લઈને નીકળેલી પ્રાઇવેટ બસને અકસ્માત નડ્યો છે. બસ પલટી જતા 20 ઘાયલ થયા તો એક મહિલાનું મૃત્યુ થયુ છે.

બસ નંબર ડી.ડી. 01 એલ. 9551 જે લગ્ન પ્રસંગ પતાવીને પરત દપાડા તરફ જઈ રહી હતી. તે સમયે દૂધની ઉપલાબેડા ટર્નિંગ પર સ્ટેરીંગ પર કાબૂ ન રહેતા બસ પલ્ટી મારી ગઈ હતી. જેમા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ અકસ્માતની ઘટના જોતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને સાથે પોલીસ તેમજ એમ્બ્યુલન્સને પણ ફોન કરતા પોલીસ અને મેડિકલ ટીમ પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર અર્થે સબજીલ્લા હોસ્પિટલ ખાનવેલ લઈ જવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ 10 લોકોને વધુ સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો
આ પણ વાંચો…
- સોરી બોલ… ગીત રિલીઝ થયું ત્યારે Urvashi એ ચહલ અને હાર્દિકના છૂટાછેડા પર પણ ટિપ્પણી કરી
- 26/11ના આરોપી tahwwur rana ભારત આવશે, યુએસ સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણ રોકવાની માંગ ફગાવી
- Deepika padukone શાહરૂખ ખાનના કિંગમાં નથી? સિદ્ધાર્થ આનંદે કહ્યું- આ જૂઠ છે
- શો માટે ઘરની બહાર નીકળતી વખતે દીકરી માલતીએ આપ્યું આવું સરપ્રાઈઝ, nick jonas ખુશીથી ઉછળી પડ્યા
- Pakistanમાં ભયાનક માર્ગ અકસ્માત, મહિલાઓ અને બાળકો સહિત 11 લોકોના દુઃખદ મોત