Gujarat : દાદરા નગર હવેલીના દપાડા ગામેથી કરચોન ગામે લગ્નપ્રસંગ માટે જાન લઈને નીકળેલી પ્રાઇવેટ બસને અકસ્માત નડ્યો છે. બસ પલટી જતા 20 ઘાયલ થયા તો એક મહિલાનું મૃત્યુ થયુ છે.

બસ નંબર ડી.ડી. 01 એલ. 9551 જે લગ્ન પ્રસંગ પતાવીને પરત દપાડા તરફ જઈ રહી હતી. તે સમયે દૂધની ઉપલાબેડા ટર્નિંગ પર સ્ટેરીંગ પર કાબૂ ન રહેતા બસ પલ્ટી મારી ગઈ હતી. જેમા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ અકસ્માતની ઘટના જોતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને સાથે પોલીસ તેમજ એમ્બ્યુલન્સને પણ ફોન કરતા પોલીસ અને મેડિકલ ટીમ પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર અર્થે સબજીલ્લા હોસ્પિટલ ખાનવેલ લઈ જવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ 10 લોકોને વધુ સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો
આ પણ વાંચો…
- MSME માટે તકો વધી છે; જાણો શા માટે નાણામંત્રી અને ગૃહમંત્રીએ આ સોદાને ગેમ-ચેન્જર ગણાવ્યો
- Vikrant: વિક્રાંત મેસીએ નિવૃત્તિ વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું, “કામ રાહ જોઈ શકે છે…”
- Epstine જાતીય ગુનેગાર જેફરી એપસ્ટેઇન ઇઝરાયલી જાસૂસ હતો… FBI દસ્તાવેજમાં સનસનાટીભર્યો દાવો
- Bangladesh: શેખ હસીનાના ભૂતપૂર્વ મંત્રી અને હિન્દુ નેતાનું જેલમાં અવસાન, બાંગ્લાદેશની ચૂંટણી પહેલા કસ્ટોડિયલ મૃત્યુ અંગે પ્રશ્નો
- Pm Modi:ભારત માટે મલેશિયા કેટલું મહત્વનું છે? પીએમ મોદી બે દિવસના વિદેશ પ્રવાસે પહોંચ્યા





