Gujarat : દાદરા નગર હવેલીના દપાડા ગામેથી કરચોન ગામે લગ્નપ્રસંગ માટે જાન લઈને નીકળેલી પ્રાઇવેટ બસને અકસ્માત નડ્યો છે. બસ પલટી જતા 20 ઘાયલ થયા તો એક મહિલાનું મૃત્યુ થયુ છે.

બસ નંબર ડી.ડી. 01 એલ. 9551 જે લગ્ન પ્રસંગ પતાવીને પરત દપાડા તરફ જઈ રહી હતી. તે સમયે દૂધની ઉપલાબેડા ટર્નિંગ પર સ્ટેરીંગ પર કાબૂ ન રહેતા બસ પલ્ટી મારી ગઈ હતી. જેમા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ અકસ્માતની ઘટના જોતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને સાથે પોલીસ તેમજ એમ્બ્યુલન્સને પણ ફોન કરતા પોલીસ અને મેડિકલ ટીમ પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર અર્થે સબજીલ્લા હોસ્પિટલ ખાનવેલ લઈ જવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ 10 લોકોને વધુ સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો
આ પણ વાંચો…
- K L Rahul: કેએલ રાહુલ મેદાનની વચ્ચે અમ્પાયર બન્યો! ખેલાડીઓ પેવેલિયન પાછા ફરવા લાગ્યા
- Paul biya: શું તેઓ ૯૯ વર્ષ સુધી સરકાર ચલાવશે? ૯૨ વર્ષીય નેતા ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે
- Amc: રોડ ગંદો કરવા બદલ ડમ્પરનો પીછો, RKC ઇન્ફ્રાએ સિંધુ ભવન રોડ પર ₹5 લાખનો દંડ ફટકાર્યો
- Zubeen garg: ‘તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે’, મુખ્યમંત્રી હિમંતા શર્માએ કહ્યું કે સિંગાપોર પોલીસનો સંપૂર્ણ સહયોગ
- શું virat Kohli એ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે? એક નિર્ણયથી “કિંગ” ના ચાહકોની ચિંતા વધી