Jamnagar શહેરની ભાગોળે આવેલ સ્વામીનારાયણ મંદિર પાસે રાસ રસીયા પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયેલા વિદ્યાર્થીનો પગ અજાણ્યા યુવાનને અડી જતાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ વિદ્યાર્થીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર જાગી છે.

Jamnagar: તારે જે ચોકીએ જવું હોય ત્યાં જજે, હવે પછી જો દેખાણો છો તો તને છરીના ગોદા મારી દઈશ એવી ધાક-ધમકી

પોલીસ સુત્રોએ જાહેર કરેલી વિગત મુજબ, Jamnagar શહેરના મચ્છરનગર વિસ્તારમાં રહેતદા અને ધો.૧૦માં અભ્યાસ કરતા વિશ્વરાજસિંહ સુખદેવસિંહ જાડેજા નામનો વિદ્યાર્થી ગઈકાલે સમર્પણ સર્કલ આગળ સ્વામીનારાયણ મંદિરના બીજા ગેટ સામે આવેલ રાસ રસીયા પાર્ટી પ્લોટમાં પોતાના મિત્રો યશપાલસિંહ ગૌતમસિંહ પરમાર, પ્રદીપસિંહ લખુભા જાડેજા અને મનદીપસિંહ કિરીટસિંહ જાડેજા સાથે ગરબા રમી રહ્યા હતાં.

જયાં યશપાલસિંહનો પગ બાજુમાં ગરબા રમી રહેલા અજાણ્યા યુવાનને અડી જતાં અજાણ્યા યુવાને યશપાલસિંહનો કાઠલો પકડી ગાળો આપવા લાગતાં વિશ્વરાજસિંહ સહિતના મિત્રોએ વચ્ચે પડી છોડાવેલાંઅને ત્યારબાદ રાત્રિના ૧૨.૩૪૦ વાગ્યાના અરસામાં ઘરે જવા નિકળેલ ત્યારે ગેઈટની બહાર ઉભેલા શખ્સે વિદ્યાર્થી વિશ્વરાજસિંહ જાડેજાને વાળ પકડીને જમીન પર ઢસળી ઢીંકા પાટુનો માર મારી તારે જે ચોકીએ જાવું હોય ત્યાં જજે હવે પછી જો દેખાણો છો તો તને છરીના ગોદા મારી દઈશ. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી | હતી. આથી સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુત પાસ હાથ ધરી છે.