Surat: સુરતના રીંગરોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલે રીંગરોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગને 24 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે છતાં પણ આગ કાબૂમાં આવી નથી. જેને લઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ છે.
મળતી માહિતી અનુસાર સુરતના રીંગરોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ પર સતત કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 40 કરતા વધુ ફાયરની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, આજે વહેલી સવારે ફરી આગ લાગવાને કારણે ફરીથી આગ ઓલવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટનાને પગલે 150 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે.