Isudan Gadhvi News: આમ આદમી પાર્ટી ભ્રષ્ટ ભાજપ સરકારની સામે જનતાને જાગૃત કરવા માટે શહેરોથી લઈને નાના ગામડાઓમાં ગુજરાત જોડો જનસભાઓ યોજી રહી છે. ત્યારે ગઇકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ મોરબી જિલ્લાના માળિયામાં ગુજરાત જોડો જનસભા સંબોધી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, વડીલો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ સભાને સંબોધતા કહ્યું હતું કે, આજે આપણે મંગળ ઉપર અને ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ પરંતુ આપણું ગામ અને શહેર ત્યાનું ત્યાં જ છે, આ એક ગંભીર વિષય છે તો એની ચિંતા કરવાની જરૂર છે. નેતાઓ આવે છે અને વચનો આપે છે પણ બધું વાતોમાં જ રહે છે ગ્રાઉન્ડ પાર કોઈ કામ થતું નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણા વિસ્તારમાં સારું દવાખાનું ન હોય, સારા રોડ રસ્તા ન હોય, ગુલામો જેવી જિંદગી જીવી પડે. દીકરીઓ બહાર જઈને ભણી ન શકે અને ગામડામાં ભણવાની વ્યવસ્થા ન હોય ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય અને શિક્ષણ ઓછું થતું જાય. શિક્ષણ એ સિંહણનું દૂધ છે એ પચાવ્યા પછી તરાપ મારી સરકારને ધ્રુજાવી દે એવી તાકાત એમાં હોય છે. ગુજરાતના એક એક નાગરિકને એવા શિક્ષિત બનાવવા છે, ઘરે ઘરે મારી જેમ તૈયાર થવા જોઈએ. મારા એક ફોનથી અધિકારીઓ ઊભા થઈ જાય કારણ કે એમને ખબર છે કે મને કાનુન – કાયદા અને વ્યવસ્થાની જાણ છે પણ હું આજે છું અને આવતીકાલે નથી. એવું ગુજરાત બનાવવું છે કે ક્યારેય પણ કોઈને જરૂર પડે અને પોલીસ સ્ટેશનમાં ફોન કરે તો એને લાગવગ લગાડવાની જરૂર ન પડે અને એને ન્યાય મળી જાય એવી સિસ્ટમ ઉભી કરવી છે.

રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ એ ખબર નથી પડતી અને પોલીસવાળા હેલ્મેટ ન પહેરીએ તો પૈસા માંગે છે. ટેક્સ લેવા છે અમેરિકા, લંડન જેવા અને ફેસિલિટી આપવી છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવી. મોંઘવારી વધી, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, વાહનોના ભાવ વધ્યા, ભ્રષ્ટાચાર વધ્યો અને એની સામે સરકારી સ્કૂલો ઘટી ગઈ જેથી કરી તમારા બાળકો ભણે નહીં અને જાગૃત થાય નહીં અને કાયમી ગુલામ બને એટલા માટે આ ષડયંત્ર ભાજપે રચ્યું છે. મને રાજનીતિમાં આવવાનો શોખ નથી પરંતુ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ઈશ્વરે મને સદબુદ્ધિ આપી અને હું રાજનીતિમાં આવ્યો. આટલો બધો ટેક્સ આપ્યો હોવા છતાં પણ ગામમાં સારા દવાખાના ન હોય ડોક્ટર ન હોય તો હું ભાજપવાળાઓને પૂછું છું કે શા માટે તમે રાજનીતીમાં આવ્યા છો.

હું મુખ્યમંત્રી ને ચેલેન્જ આપું છું કે મને 24 કલાક આપો. 24 કલાકની અંદર ગુજરાતમાં ડંકો ન વગાડું તો સમજજો કે Isudan Gadhvi રાજનીતિમાં આવ્યા ન હતા. ગરીબો માટે મરવાનું હોય, ગરીબોનો ઉદ્ધાર કરવાનો હોય, પ્રજાના હિત માટે કામ કરવાનું હોય. આપણને તકલીફો એટલા માટે પડી રહી છે કારણ કે, આપણામાં જાગૃતિનો અભાવ છે. ચાર લાખ કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ છે. પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના બજેટ હોય છે પરંતુ આ નેતાઓ ક્યાં ખાઈ જાય છે એ ખબર નથી પડતી. માણસ બે કરોડ કમાય તો પણ પેટ ભરાય પણ ભાજપવાળાની ફાંદ કેવી છે કે ગમે એટલો ભ્રષ્ટાચાર કરે તો પણ તેમનું પેટ ભરાતું જ નથી. પછી એવું કહે છે કે અમે તો ફકીર છીએ. 8500 કરોડના પ્લેનમાં ફરનારા ફકીર છે? પરંતુ એમને ખબર નથી કે એમનો કાળ આજે ગુજરાતનો ઉછરી રહ્યો છે. અને હું ભાજપવાળાઓને કહેવા માંગું છું કે તમારી તાકાત હોય એટલું લૂંટી લેજો બે વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે અમે વ્યાજ સાથે વસૂલ કરીશું.