Damanમાં દુનેઠા ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગવાની ઘટના એ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બની છે. ખાસ કરીને, જે પ્રકારના ઘટનાઓ વારંવાર બની રહી છે, તે સ્થાનિકો માટે અનેક પ્રકારના ખતરો ઊભા કરે છે.
Damanમાં ડમ્પીંગ સાઈટની આગની સામાન્ય આડઅસરો માત્ર પ્રદૂષણ અને દૂષણ માટેની સમસ્યાને જ વધારતી નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ મોટી ચિંતાનું વિષય બની રહી છે. ધુમાડો અને દુર્ગંધના કારણે શ્વાસની સમસ્યાઓ અને અન્ય આરોગ્ય સંબંધિત અસરો વધારે છે, જે ચિંતાની બાબત છે.

કચરાના ઢગમાં આગ લાગવાને કારણે વાતાવરણમાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતા જાય છે. આથી, તે સ્થાનિક લોકોના રોજિંદા જીવનને ગંભીર અસર પહોંચાડી રહ્યું છે.
સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, આ આગ કોઈને જાણીબૂઝીને ઈરાદાપૂર્વક લગાવાઈ રહી છે? કે પછી આ ડમ્પિંગ સાઈટની સંભાળ રાખતી એજન્સી જાતે જ આગ લગાડી રહી છે, તે પણ તપાસનો વિષય છે.

આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક તપાસની માંગ કરી છે અને કડક પગલાં લેવા માટે માંગણી કરાઈ છેય આ માટે જવાબદાર તંત્રને કાર્યરત રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી આ પ્રકારના આકસ્મિક બનાવો અટકાવી શકાય.
આ પણ વાંચો..
- Sushant singh Rajput કેસમાં CBIએ ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો, રિયા ચક્રવર્તીને ક્લીનચીટ
- ૩૫૭ વેબસાઇટ, ૨,૪૦૦ બેંક ખાતા બ્લોક, ૧૨૬ કરોડ રૂપિયા. ઓફશોર ઓનલાઈન મની ગેમિંગ કંપનીઓ પર DGGI દ્વારા ફ્રીઝ, મોટી કાર્યવાહી
- IPL 2025 : શાહરૂખ ખાને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું, ઓપનિંગ સેરેમનીમાં આ સ્ટાર્સે ધૂમ મચાવી
- Nagpur Riots : ‘જરૂર પડશે તો બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે’, મુખ્યમંત્રી ફડણવીસનું મોટું નિવેદન
- Bangaloreમાં ભારે વરસાદને કારણે ફ્લાઇટ્સ પ્રભાવિત, 10 ફ્લાઇટ્સ ચેન્નાઈ ડાયવર્ટ