Damanમાં દુનેઠા ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગવાની ઘટના એ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બની છે. ખાસ કરીને, જે પ્રકારના ઘટનાઓ વારંવાર બની રહી છે, તે સ્થાનિકો માટે અનેક પ્રકારના ખતરો ઊભા કરે છે.
Damanમાં ડમ્પીંગ સાઈટની આગની સામાન્ય આડઅસરો માત્ર પ્રદૂષણ અને દૂષણ માટેની સમસ્યાને જ વધારતી નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ મોટી ચિંતાનું વિષય બની રહી છે. ધુમાડો અને દુર્ગંધના કારણે શ્વાસની સમસ્યાઓ અને અન્ય આરોગ્ય સંબંધિત અસરો વધારે છે, જે ચિંતાની બાબત છે.

કચરાના ઢગમાં આગ લાગવાને કારણે વાતાવરણમાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતા જાય છે. આથી, તે સ્થાનિક લોકોના રોજિંદા જીવનને ગંભીર અસર પહોંચાડી રહ્યું છે.
સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, આ આગ કોઈને જાણીબૂઝીને ઈરાદાપૂર્વક લગાવાઈ રહી છે? કે પછી આ ડમ્પિંગ સાઈટની સંભાળ રાખતી એજન્સી જાતે જ આગ લગાડી રહી છે, તે પણ તપાસનો વિષય છે.

આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક તપાસની માંગ કરી છે અને કડક પગલાં લેવા માટે માંગણી કરાઈ છેય આ માટે જવાબદાર તંત્રને કાર્યરત રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી આ પ્રકારના આકસ્મિક બનાવો અટકાવી શકાય.
આ પણ વાંચો..
- India Pakistan war: આરોગ્ય મંત્રાલયે રજાઓ રદ કરી; પીએમ અને સંરક્ષણ મંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી
- Pakistan: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જમ્મુ-કાશ્મીરના ઉરી અને પૂંછ સેક્ટરમાં ગોળીબાર કર્યો
- Kutch: કચ્છ જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ, CM એ ટ્વીટ કરીને આપી માહિતી
- Pakistan સાથેના યુદ્ધ વચ્ચે ચીન પર શંકા વધી, જાણો કેમ કહી રહ્યા છે નિષ્ણાતો – દુશ્મનને ઓળખવાની જરૂર છે
- શું એશિયા કપને બદલે સપ્ટેમ્બરમાં IPL યોજાઈ શકે છે, BCCI માટે તે શ્રેષ્ઠ વિકલ્પ કેમ છે?