Damanમાં દુનેઠા ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગવાની ઘટના એ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બની છે. ખાસ કરીને, જે પ્રકારના ઘટનાઓ વારંવાર બની રહી છે, તે સ્થાનિકો માટે અનેક પ્રકારના ખતરો ઊભા કરે છે.
Damanમાં ડમ્પીંગ સાઈટની આગની સામાન્ય આડઅસરો માત્ર પ્રદૂષણ અને દૂષણ માટેની સમસ્યાને જ વધારતી નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ મોટી ચિંતાનું વિષય બની રહી છે. ધુમાડો અને દુર્ગંધના કારણે શ્વાસની સમસ્યાઓ અને અન્ય આરોગ્ય સંબંધિત અસરો વધારે છે, જે ચિંતાની બાબત છે.

કચરાના ઢગમાં આગ લાગવાને કારણે વાતાવરણમાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતા જાય છે. આથી, તે સ્થાનિક લોકોના રોજિંદા જીવનને ગંભીર અસર પહોંચાડી રહ્યું છે.
સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, આ આગ કોઈને જાણીબૂઝીને ઈરાદાપૂર્વક લગાવાઈ રહી છે? કે પછી આ ડમ્પિંગ સાઈટની સંભાળ રાખતી એજન્સી જાતે જ આગ લગાડી રહી છે, તે પણ તપાસનો વિષય છે.

આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક તપાસની માંગ કરી છે અને કડક પગલાં લેવા માટે માંગણી કરાઈ છેય આ માટે જવાબદાર તંત્રને કાર્યરત રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી આ પ્રકારના આકસ્મિક બનાવો અટકાવી શકાય.
આ પણ વાંચો..
- Suratમાં આરોગ્ય વિભાગની મોટી બેદરકારી! હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની તપાસ કરી રહ્યા છે સફાઈ કામદારો
- Vadodara-Surat વચ્ચે 25 લાખનો દારૂ જપ્ત, ટ્રક ડ્રાઈવરની ધરપકડ
- Gujaratના દરિયાકાંઠે દરિયામાં 2 બોટ પલટી જતાં 8 લોકો ગુમ, બચાવ દરમ્યાન હવામાન બન્યું અવરોધ
- Gopal Italia એ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, કહ્યું – ‘નાની વયની દીકરીઓને ભગાડીને લઈ જવાનું ખૌફનાક ષડયંત્ર ચાલી રહ્યું છે’
- Horoscope: મેષ થી મીન રાશિ માટે 20 ઓગસ્ટનો દિવસ કેવો રહેશે? જાણો તમારું રાશિફળ