Gujarat: ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એકબીજાની આમને સામને છે. ગુજરાતની ભાજપ સરકારે સરકારી અને અનુદાનિત શાળાઓ માટે મધ્યાહન ભોજન યોજનામાં ફેરફાર કર્યા છે. સરકારે મધ્યાહન ભોજનનું નવું મેનુ બહાર પાડ્યું છે, જે મુજબ હવે બાળકોને દિવસમાં માત્ર એક જ વાર ભોજન આપવામાં આવશે. આ મેનુની ટીકા કરતા કોંગ્રેસે કહ્યું કે હવે વિદ્યાર્થીઓને સાંજના સમયે નાસ્તો આપવામાં આવશે નહીં. તેનાથી વિદ્યાર્થીઓમાં કુપોષણ વધી શકે છે.

જો કે, રાજ્ય સરકારના અધિકારીઓએ નવા મેનૂ અંગે દાવો કર્યો હતો કે પ્રધાન મંત્રી પોષણ શક્તિ નિર્માણ (PM-Poshan) યોજના હેઠળ પીરસવામાં આવતા ખોરાકના જથ્થામાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે, રાજ્યના શિક્ષણ વિભાગે પોતાની વેબસાઈટ પર અપલોડ કરેલા નવા નોટિફિકેશનમાં વિદ્યાર્થીઓ માટે નવા અને અપડેટેડ મેનૂની જાહેરાત કરી છે, જેને સરકારી અને અનુદાનિત શાળાઓએ સપ્ટેમ્બરથી અનુસરવાનું રહેશે.

મળતી માહિતી અનુસાર અનુસાર, આ નવા મેનૂમાં દરરોજના ભોજનમાં શાક પુલાવ અને રાંધેલી દાળનો સમાવેશ થાય છે. જો કે, હાલમાં શાળાઓમાં બાળકોને દિવસમાં બે વખત ભોજન આપવામાં આવે છે, પરંતુ નવા મેનુમાં માત્ર એક જ ભોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નવા નોટિફિકેશન મુજબ સરકારે નાસ્તાને મેનુમાંથી હટાવી દીધા છે. આવી સ્થિતિમાં હવે બાળકોને માત્ર એક જ વાર ભોજન મળશે.

કોંગ્રેસના સરકાર પર પ્રહાર
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આના કારણે લાખો વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત ભોજનથી વંચિત રહેશે. સરકારના આ નિર્ણયથી બાળકોમાં કુપોષણ વધશે. સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. ગુજરાત મધ્યાહન ભોજન યોજનાના જોઈન્ટ કમિશનર કે.એન.ચાવડાએ જણાવ્યું હતું કે, નવા મેનુ મુજબ વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનના કુલ જથ્થામાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

અત્યાર સુધી આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને બપોરે 2 વાગ્યે લંચ અને 4 વાગ્યે નાસ્તો મળતો હતો. જો આપણે ભોજનમાં શાક પુલાવ પીરસીએ તો સાંજે 4 વાગે લગભગ 20 ગ્રામ ચણા નાસ્તા તરીકે આપીએ છીએ. હવે યોજનાના વધુ સારા અમલીકરણ માટે અમે આ બંને વસ્તુઓ બપોરે 2 વાગ્યે આપીશું.: ગુજરાતની ભાજપ સરકારે સરકારી અને અનુદાનિત શાળાઓ માટે મધ્યાહન ભોજન યોજનામાં ફેરફાર કર્યા છે. સરકારે મધ્યાહન ભોજનનું નવું મેનુ બહાર પાડ્યું છે, જે મુજબ હવે બાળકોને દિવસમાં માત્ર એક જ વાર ભોજન આપવામાં આવશે. આ મેનુની ટીકા કરતા કોંગ્રેસે કહ્યું કે હવે વિદ્યાર્થીઓને સાંજના સમયે નાસ્તો આપવામાં આવશે નહીં. તેનાથી વિદ્યાર્થીઓમાં કુપોષણ વધી શકે છે.