Palitanaમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 800 મીટર લાંબા રસ્તાના નવીનીકરણ અને પ્રસિદ્ધ જૈન યાત્રાધામ પાલિતાણાને જોડતા પુલના નવા કામો માટે રૂ. 51.57 કરોડ મંજૂર કર્યા છે. તેને મજબૂત કરવા વિવિધ કામો માટે કુલ રૂ. 2269 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ હેતુસર આ રકમમાંથી જૈન તીર્થ પાલિતાણાને 24.90 કિમી લંબાઈના 6 રસ્તા અને પુલના કામ માટે રૂ. 40.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.

હવે મુખ્યમંત્રીએ પાલિતાણાને જોડતા 800 મીટરના પટ પર નવા રસ્તા અને પુલ માટે રૂ.51.57 કરોડ મંજૂર કર્યા છે. આમ જૈન યાત્રાધામ પાલિતાણાને મજબૂત અને સુવિધાજનક રોડ કનેક્ટિવિટી મળી રહે તે હેતુથી મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં 25.70 કિલોમીટરના રસ્તાઓ માટે કુલ રૂ.92.07 કરોડ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયથી પાલિતાણા જૈન તીર્થ વિસ્તારની મુલાકાતે આવતા પદયાત્રીઓ અને વાહનોને વધુ સુલભ અને સલામત રોડ નેટવર્ક મળશે. એટલું જ નહીં આ રસ્તાઓના નિર્માણ અને વિકાસથી યાત્રાધામનું અંતર ઘટશે અને પાલિતાણા શહેરમાં જવાના માર્ગ પર પાલીતાણા-તળાજા રોડના જંકશન પોઈન્ટ પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા હલ થશે. આ રસ્તાઓના નિર્માણ અને વિકાસથી સ્થાનિક રહીશો અને વેપારીઓને પણ ફાયદો થશે અને પાલિતાણા યાત્રાધામ વિસ્તારના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.