આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi એ એક ગંભીર મુદા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિસાવદરની પેટા ચૂંટણીમાં પોતાની હાર થઈ રહી છે એ જોઈને ભાજપ એટલું બૌખલાઈ ગયું છે કે તેણે વિસાવદરની જનતાનું અપમાન કરવાનું શરૂ નક્કી કરી દીધું છે. અગાઉ પણ ભાજપે વિસાવદરના ધારાસભ્યોને ડરાવી-ધમકાવીને અને પોતાના પક્ષમાં લઈને વિસાવદરની જનતાનું તો અપમાન કર્યું જ છે. પરંતુ ગઈકાલે એક વધુ મોટી ઘટના ઘટી. ગતરોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક સભામાં એવું કહ્યું કે વિસાવદરની જનતાએ 2012, 2017 અને 2022માં ભૂલ કરી. તો અમારો સવાલ છે કે શું કેશુબાપાને મત આપ્યા એ કોઈ ભૂલ છે? તમે વારંવાર કેશુ બાપાનું અપમાન કરો છો.
કેશુબાપા એ એક એવા નેતા છે કે જેમણે આ રાજ્યને ખૂબ જ આપ્યું છે. તેમની સૂઝ બુઝ અને શક્તિથી તેમણે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને ખૂબ જ આપ્યું છે અને સાથે સાથે વિસાવદરને પણ તેમણે આગવી ઓળખ અપાવી છે. આવા મહાન નેતાને તમે વારંવાર અપમાનિત કરો છો. કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારા બધાનો હાથ હતો સાથે સાથે કેશુબાપાને પરેશાન કરવામાં પણ ભાજપ વાળાઓનો હાથ હતો અને હવે 2012માં વિસાવદરની જનતાએ કેશુબાપાને ચૂંટણી જીતાડી આપી એનો પણ તમે હજુ રોષ રાખી રહ્યા છો. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ માફી માંગે નહિતર વિસાવદરની જનતા કેશુબાપા જેવા દિગ્ગજ નેતાના અપમાનનો બદલો લેશે.