આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર Gopal Italiaએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ એલાન કરતાં જણાવ્યું હતું કે, વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ છે અને આમ આદમી પાર્ટીએ મને વિધાનસભાનો ઉમેદવાર બનાવ્યો છે. તો આગામી 31 મે શનિવારના રોજ મારું ઉમેદવારી પત્ર હું ભરીશ. સવારે 9:30 વાગ્યે વિસાવદરના સરદાર ચોક ખાતે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોને સાથે ‘જન આશીર્વાદ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું છે અને આ ‘જન આશીર્વાદ યાત્રા’ બાદ ફોર્મ ભરવામાં આવશે. મારા માટે એક ખુશીની વાત છે કે મારા જેવા સામાન્ય ઘરમાંથી આવતા વ્યક્તિને ટેકો આપવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી આ મહત્વપૂર્ણ અવસર પર વિસાવદર પધારી રહ્યા છે.
સાથે સાથે પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ, દિલ્હી સરકારના પૂર્વ CM આતિશી, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ અને લોક લાડીલા નેતા ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય સુધીર વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી સાગર રબારી, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા સહિત અનેક નેતાઓ મારા જેવા સામાન્ય વ્યક્તિને સપોર્ટ આપવા માટે 31 મેના રોજ વિસાવદરના સરદાર ચોક ખાતે પધારી રહ્યા છે.