Ahmedabad સોમવારે ઈદ-એ-મિલાદના તહેવાર પ્રસંગે જમાલપુર ચકલાથી ધાર્મિક ઝુલુસ વિવિધ માર્ગો પરથી પસાર થઈને મિરઝાપુર કુરેશી ચોક સુધી જશે. જે અનુંસધાનમાં ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાઈ તે અનુસંધાનમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લાલ દરવાજા, જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

Ahmedabad: જમાલપુર ચકલાથી મીરઝાપુર કુરેશી ચોક સુધી ઝુલુસ નીકળશેઃ સ્થાનિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ઇદ-એ-મિલાદના અનુસંધાનમાં Ahmedabadમાં ઝુલુસનું આયોજન કરવામાં આવે છે. જે બપોરના બે વાગ્યાથી જમાલપુર હેબતખાનની મઝીદ જમાલપુર દરવાજા થઈને જમાલપુર ચકલા થઈને ખાસ બજાર કોલસા ગલીથી પથ્થરકુવાના રસ્તાથી રીલીફ રોડ થઈને લાલ દરવાજા વિજળી ઘરથી મિરઝાપુર કુરેશી ચોક સુધી જશે. જેના કારણે ઝુલુસના રૂટની આસપાસના કેટલાંક રસ્તા બંધ રહેશે. જેમાં જમાલપુર ચાર રસ્તાથી ખમાસા તરફ આવન-જાવન થઇ શકશે નહી. રાયખડ ચાર રસ્તાથી ગોળ લીમડા સુધીનો રસ્તો બંધ રહેશે. તેમજ પાનકોર નાકાથી વિજળી ઘર લાલ દરવાજાનો અને ધી કાંટા ચાર રસ્તાથી લાલ દરવાજા સુધીનો રસ્તો બંધ રહેશે.

જેના કારણે એએમટીએસની બસ લાલ દરવાજાથથ દિલ્હી દરવાજા સુધી આવન જાવન કરી શકશે નહી અને લાલ દરવાજાથી રાયખડનો રસ્તો પણ એએમટીએસની બસ માટે બંધ રહેશે. જેથી અન્ય વાહનો અને એએમટીએસ બસના ચાલકોને લાલ દરવાજાથી રૂપાલી સિનેમા કામા હોટલ થઈને શાહપુરથી દિલ્હી દરવાજાનો રૂટ લેવાનો રહેશે.