Jamnagarમાં સત્યમ કોલોની પાસે પાણીના ખાડામાં ડૂબેલા પિતા-પુત્ર પૈકી પિતાનો પણ મૃતઃ મળી આવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.જ્યારે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો હતો.

શંકર ટેકરી વિસ્તારમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાત

Jamnagar ના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા બાવાજી પિતા-પુત્ર કે જેઓ જામજોધપુરમાં પ્રસંગ પતાવીને જામનગર આવ્યા હતા, દરમિયાન સત્યમ કોલોની અંદર બ્રિજ પાસે પાણીના ખાડામાં પિતા પુત્ર બંને ડૂબી ગયા હતા. પુત્ર શુભમ (ઉં.વ.૧૪) નો મૃતદેહ મળી આવ્યો હતો.

જયારે પિતા પ્રદીપપરી લાલપરી ગોસ્વામીની શોધખોળ ચલાવાઈ રહી હતી. દરમિયાન બપોરે તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. જામનગરમાં શંકર ટેકરી નજીક પંચશીલ નગરમાં રહેતી દર્શનાબેન દિનેશભાઈ પરમાર નામની બાવીસ વર્ષની યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.