ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ધામ અને શક્તિપીઠ Ambaji ખાતે વર્ષે ભાદરવા સુદ આઠમથી પૂનમ સુધી મા આદ્યશક્તિ અંબાજી માતાજીનો પવિત્ર મહામેળો યોજાય છે. જ્યાં દેશ-વિદેશથી લાખો ભક્તો મેળામાં પધારે છે.

Ambaji ભાદરવી પૂનમ નો મહામેળો શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્ય સહિત દેશભરમાંથી ભક્તો પગપાળા સંઘ લઈ મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી પહોંચવાના તમામ રસ્તાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. પદયાત્રીઓ માટે તમામ માર્ગો પર સેવા કેમ્પો જોવા મળી રહ્યા છે. તો અંબાજી જઈ રહેલા તમામ ભક્તો, પદયાત્રીઓ માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો જોઈએ અંબાજીમાં પાર્કિગથી લઈ આરતી, દર્શનનો સમય, રહેવાની, જમવાની વ્યવસ્થા, ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો સહિતની તમામ જરૂરી વિગતો પર કરીએ એક નજર…

Ambaji આરતી અને દર્શનનો સમય
અંબાજી ભાદરવી પૂનમ મહામેળા સમયે મા અંબાના દર્શન સવારે 6 વાગ્યાથી બપોરે 11.30 કલાક સુધી થશે, પછી બપોરે મંદિર 11.30 થી 12.30 એટલે કે એક કલાક માટે બંધ રહેશે, આ સિવાય સાંજે પાંચ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ફરી બે કલાક મંદિર બંધ રહેશે. તમને જણાવી દઈએ કે, બપોરે એક કલાક અને સાંજે બે કલાક સિવાય સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે.

આરતી સવારે : ૦૬.૦૦ થી ૦૬.૩૦
દર્શન સવારે : ૦૬.૦૦ થી ૧૧.૩૦
દર્શન બંધ : ૧૧.૩૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે : ૧૨.૩૦ થી ૧૭.૦૦
દર્શન બંધ : ૧૭.૦૦ થી ૧૯.૦૦
આરતી સાંજે : ૧૯.૦૦ થી ૧૯.૩૦
દર્શન સાંજે : ૧૯.૦૦ થી ૨૪.૦૦
દર્શન બંધ : ૨૪.૦૦ થી ૦૬.૦૦

અંબાજી નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા
અંબાજીમાં લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ અને ભકતો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. તો અંબાજીમાં ત્રણ સ્થળો પર મફત ભોજન-પ્રસાદ મળશે, જેમાં 1. શ્રી અંબિકા ભોજનાલય, 2. દિવાળીબા ગુરૂભવન, દાંતા રોડ, 3. ગબ્બર તળેટી, ગબ્બર.

અંબાજી દર્શન, પ્રસાદ, લગેજ-પગરખા કેન્દ્ર, વિશ્રામ સ્થળો સહિતની તમામ વ્યવસ્થા
અંબાજીમાં કયા માર્ગો પરથી પ્રવેશ મળશે, અસટી બસનો રૂટ કેવો રહેશે, ઈમરજન્સીમાં કયા સ્થળેથી બહાર નીકળી શકાશે, સેવા કેમ્પો માટે જરૂરી સૂચનાઓ સહિતની તમામ માર્ગદર્શિતા ઉપર જોઈ શકો છો.

અંબાજી – પાર્કિંગ સ્થળેથી મફત બસ સેવા
અંબાજીમાં ભાદરવી પૂનમને લઈ લાખોની સંખ્યામાં પગપાળા સંઘો, તથા પદયાત્રીઓ અને ભક્તો આવી રહ્યા હોવાથી કોઈ અગવડ અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંબાજીમાં દૂર ના સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, તો પદયાત્રીઓ આ પાર્કિંગ સ્થળોથી મંદિરે દર્શન માટે પહોંચી શકે તે માટે મફત મીની બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ ભક્તો લઈ શકે છે.