ચકલાસીમાં રામપુરા તાબે એક ખેતરમાં MGVCLનો થ્રી ફેઝ લાઈનનો જીવંત વાયર તૂટીને પડ્યો છે. આ વાયરને હટાવવા માટે ઓનલાઈન અને રૂબરૂ તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં 4 દિવસથી MGVCLના અધિકારીઓ ડોકીયુ કરવા પણ ફરક્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

મળતી માહિતી મુજબ ચકલાસીના રામપુરામાં સુરાશામળ ફીડરનું થ્રી ફેઝ લાઈન કનુભાઈ મંગળભાઈ વાઘેલાના ખેતર પાસેથી પસાર થાય છે. આ લાઈનનો વીજ વાયર છેલ્લા ચારેક દિવસથી ખેતરમાં તૂટીને પડ્યો છે. આ વીજ વાયર જીવંત છે, જેથી ખેતર માલિક અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ મામલે ત્વરીત MGVCLને જાણ કરાઈ હતી.
જો કે, બે દિવસ સુધી MGVCLના કર્મચારીઓ અત્રે ફરક્યા ન હતા. જેથી સમગ્ર બાબતે સ્થાનિકો છેલ્લા બે દિવસથી રૂબરૂ મૌખિક રજૂઆતો કરી MGVCLના અધિકારીઓને ગંભીરતા જણાવી રહ્યા છે. તેમ છતાં ચાર દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી MGVCLના કોઈ અધિકારી કે કર્મચારીઓ અહીંયા પહોંચ્યા નથી.

જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. તો આ જીવંત વીજ વાયર જે ખેતરમાં પડ્યો છે, તેની આસપાસ રહેણાંક વિસ્તાર આવેલો છે. જેથી કોઈ પણ જાનહાનિ થાય કે નુકસાન પહોંચે, તેની સંપૂર્ણ જવાબદારી MGVCLની રહેશે, તેવો આક્રોશ સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો..
- Ahmedabad: T20 મેચને કારણે 19 ડિસેમ્બરે મધ્યરાત્રિ સુધી દોડશે મેટ્રો ટ્રેનો
- Gujaratના આ સ્ટેશનથી દિલ્હી માટે નવી ક્રિસમસ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત, આ સ્થળોએ સ્ટોપ સાથે દોડશે
- મિસ થઇ ગઈ ડેડલાઈન ! દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ક્યારે પૂર્ણ થશે? Nitin Gadkariએ જણાવ્યું કે તેમાં કેટલો સમય લાગશે
- કોણ છે સારા રિઝવી? Gujaratની પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી જે જમ્મુ અને કાશ્મીરમાં આપશે સેવા
- Ahmedabadમાં SUV એ સ્કૂટરને મારી ટક્કર; લોકો લગાવતા રહ્યા અંદાજો, પોલીસે વાયરલ વીડિયો પાછળનું સત્ય કર્યું જાહેર





