Bhavnagar જિલ્લાના રાજગઢ ગામ નજીક લીંબડી પેટા કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, જેનાથી ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો દ્વારા તંત્રના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ભાલ પંથકના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Bhavnagarમાં ઉનાળા ટાણે આ પરીસ્થિતિ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત તંત્રની બેજવાબદારીના કારણે હજારો લિટર પાણી વ્યતિત થતુ હોવાથી જવાબદાર અધિકારીઓની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા છે. આ મામલે ત્વરીત યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે.
આ અગાઉ પણ Bhavnagar જિલ્લામાં કેનાલોમાં ગાબડાં પડવાના બનાવો બન્યા છે. જેમ કે, વલભીપુરથી મીઠાપુર જતી કેનાલમાં ગાબડું પડ્યું હતું, જે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જોડાયું હતું. આવા બનાવો ખેડૂતો માટે આર્થિક નુકસાન અને પાણીના સંગ્રહમાં અવરોધ ઉભા કરે છે.

તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને કેનાલોની મરામત અને જાળવણી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને ખેડૂતોને નુકસાનથી બચાવી શકાય તે જરૂરી બન્યુ છે.
આ પણ વાંચો..
- Guinea-Bissau માં પણ હવે બળવો થયો છે; સૈન્યએ રાષ્ટ્રપતિની અટકાયત કરી છે અને સત્તા કબજે કરવાની જાહેરાત કરી છે
- Ukraine peace plan માટે ટ્રમ્પને મનાવવા માટે અમેરિકી રાજદૂતે પુતિનને “મંત્ર” આપ્યો
- AI એ 17 વર્ષ પછી ગુમ થયેલી પાકિસ્તાની છોકરી શોધી કાઢી, ગુમ થયેલા લોકો માટે નવી આશા જગાવી
- Hong Kong માં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી, જેમાં ૧૩ લોકો માર્યા ગયા અને સેંકડો લોકો બેઘર બન્યા.
- શું ફિલ્મ Dhurandhar મેજર મોહિત શર્માના પાત્ર પર આધારિત નથી? દિગ્દર્શક આદિત્ય ધર સત્ય ઉજાગર કરે છે, ટ્રેલરે ધમાલ મચાવી દીધી છે.





