Rajkot: કાલાવડ તાલુકાના શીશાંગ ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટના અનાજ કરિયાણાના વેપારી બાઈક ચાલકનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યુંછે.

Rajkot: વેપારના કામે શીશાંગ આવતા હતા ત્યારે અકસ્માત

Rajkot: આ અકસ્માતના બનાવની વિગત | એવી છે કે રાજકોટમાં ડ્રીમસીટી-રૈયાધાર | વિસ્તારમાં રહેતા અને અનાજ | કરિયાણાની દુકાન ચલાવતા વિજયકુમાર | બચુભાઈ ભીડે (ઉ.વ. ૫૪) અનાજ | કરિયાણાના વેપારના કામ માટે પોતાનું બાઈક લઈને જામનગરથી કાલાવડ| તાલુકાના શીશાંગ ગામે આવ્યા હતા.| દરમિયાન શિશાંગ ગામની ગોળાઈ પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના | ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

અકસ્માતમાં વેપારી વિજયભાઈ ભીંડેને ગંભીર ઈજાઓ થતા` તેઓને ૧૦૮ મારફતે સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ત્યાં તેઓનો મૃતદેહ જ પહોંચ્યો હતો. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર વંદિત વિજયભાઈ ભીંડેએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કારના ચાલક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હાથ ધરી છે.