સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના જહાગીરપુરામાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ ઊઠ્યા નહીં. સવારે પરિવારના ચાર સભ્યોના મૃતદેહો ઘરમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, હાલ પોલી આ મામલ હાલ તપાસ શરૂ કરાઈ છે.

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આ ઘટના બની છે. જોકે, મોત પાછળનું સાચુ કારણ હજુ બહાર નથી આવ્યું. પરંતું ફૂડ પોઈઝનિંગની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ સમગ્ર મામલે સુરત પોલીસ તપાસ કરી રહી છે.

મોતને ભેટનાર પરિવાર મૂળ ભાવનગરનો રહેવાસી છે. પરિવારના સદસ્યો આ ઘટનાને ફૂડ પોઇઝનિંગ ગણાવી રહ્યા છે. પરિવારજનોએ કહ્યું કે, રાત્રિ દરમિયાન 20 લોકોએ ભોજન લીધું હતું. બધાએ દાળ-ભાત, શાકનું ભોજન લીધું હતું. જેમાં 4 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની આશંકા છે.

મૃતકોના નામ
હીરાભાઈ સોલંકી
શાતુબેન વાઢેર
ગૌરી બેન
જસુબેન