Vadodaraના પૂરગસ્ત કુલ ૭૪૪૮ નાનામોટા વેપારીઓને રૂ.૧૨ કરોડની સહાય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વે બાદ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.

Vadodara: રેંકડી ધરાવતા ૪૫૯૧ અને કેબિન ધરાવતા ૧૦૭૯ ધંધાર્થીઓને સહાય બેંકખાતામાં ટ્રાન્સફર કરાઈ

ઉક્ત પેકેજનો લાભ વેપારીઓને આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૦ વ્યક્તિની એક કુમુક મેદાનમાં ઉતારવામાં આવી છે અને બે બે વ્યક્તિની એક એવી સો ટીમો દ્વારા સરવે કરવામાં આવી રહ્યો છે. જરૂરી આધારો સાથે छे. સરળ ફોર્મ ભરાવીને વેપારીઓની નોંધણી કરી સંબંધિત મામલતદાર કચેરી | દ્વારા સહાયની રકમ લાભાથીના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

નાણાંકીય સહાયની કામગીરી જોઈએ તો અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં નાની લારી અથવા રેંકડી ધરાવતા ૪૫૯૧ વેપારીઓને રૂ. ૨.૨૬ કરોડની સહાય આપવામાં આવી છે. એ જ પ્રકારે વડોદરા શહેરમાં નાની સ્થાયી કેબીન ધરાવતા ૧૦૭૯ વેપારીઓને રૂ. ૨.૧૫ કરોડની નાણાંકીય મદદ સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવી.

મોટી કેબીન ધરાવતા વેપારીઓનો પણ સરવે કરીને રાહત પેકેજનો લાભ આપવામાં આવ્યો છે. આવા ૧૬૮૬ વેપારીઓને રૂ.૬.૭૪ કરોડ ચૂકવી દેવાયા છે. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા ૯૨ વેપારીઓને રૂ.૭૮.૨૦ લાખની મદદ મુખ્યમંત્રીના રાહત પેકેજ અંતર્ગત કરવામાં આવી છે.