રાજકુમાર રાવ આ દિવસોમાં પોતાના ઘણા મોટા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. અભિનેતા ટૂંક સમયમાં ‘શ્રીકાંત’ અને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે.તાજેતરમાં જ અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી.રાજકુમાર રાવે 2010માં દિબાકર બેનર્જીની ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.સમયની સાથે તે ધીરે ધીરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોચ પર પહોંચી ગયો.

જોકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાતા પહેલા રાજકુમારને ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતના દિવસોમાં ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં યુટ્યુબર રણવીર ઈલાહાબાદિયાની સાથે ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષોની વાત કરીને જણાવ્યું હતું કે તે અહીં કેવી રીતે પહોંચ્યો. તેણે જણાવ્યું કે, શરૂઆતના દિવસોમાં મુંબઈમાં બપોરના ખાવના પણ ફાંફા હતા અને પાર્લેજી ખઈને દિવસ પસાર કરતો હતો. રાજકુમાર રાવે જણાવ્યું કે તે દરમિયાન તેમના બેંક ખાતામાં માત્ર 18 રૂપિયા જ બચ્યા હતા. એક્ટરે જણાવ્યું કે, જ્યારે મારી પાસે પૈસા નહોતા ત્યારે માતા પૈસા મોકલતી હતી. મુંબઈ જેવા શહેરમાં એક દિવસ મારા ખાતામાં 18 રૂપિયા હતા. હું સમજી વિચારીને ખર્ચા કરતો હતો..

રાજકુમાર રાવના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં શ્રીકાંત અને મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે જેને લઈને ફેન્સ ઘણા એક્સાઈટેડ છે. શ્રીકાંતમાં રાજકુમાર એક્ટ્રેસ અલાયા એફ અને જ્યોતિકાની સાથે જોવા મળશે. આ ફિલ્મ 10મેના રોજ રિલીઝ થવાની છે. તે સિવાય મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જ્હાન્વી કપૂરની સાથે જોવા મળશે અને આ ફિલ્મ 31 મેના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. તે ઉપરાંત ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’માં પણ તૃપ્તિ ડિમરીની સાથે જોવા મળશે.