દિવંગત અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર તેની ફિલ્મો અને કામ કરતાં તેના અંગત જીવનના કારણે વધુ ચર્ચામાં રહે છે. જ્હાન્વી કપૂરના ડેટિંગના સમાચાર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જ્હાન્વી કપૂર અને શિખર પહાડિયા સાથે રિલેશનશિપમાં છે. તાજેતરમાં, અભિનેત્રી ઘણી ઇવેન્ટ્સમાં શિખર પહાડિયાના ઉપનામ શિખુનું પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી. જોકે જ્હાન્વી કપૂર સત્તાવાર રીતે સંબંધની પુષ્ટિ કરી નથી. જોકે દરેક વ્યક્તિ આ સંબંધ જાણે છે. આ દરમિયાન અભિનેત્રીના લગ્નને લઈને સમાચાર ચાલી રહ્યા હતા, જેના પર તેણે પોતાની પ્રતિક્રિયા આપી છે.

એક પેપરાઝીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, જ્હાનવી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે લગ્ન કરવા જઈ રહી છે. પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે બંને તિરુપતિ મંદિરમાં લગ્ન કરશે.જ્હાન્વી કપૂર લગ્ન વખતે ગોલ્ડન સાડી પહેરશે. જ્યારે જ્હાનવી કપૂરે આ પોસ્ટ જોઈ, ત્યારે તેને તરત પ્રતિક્રિયા આપી હતી. તેણે તરત જ પોસ્ટ પર ટિપ્પણી કરી અને જવાબમાં લખ્યું હતું કે, ‘કંઈ પણ.’

જ્યારે અભિનેત્રી તેના ભાઈ અર્જુન કપૂર સાથે કોફી વિથ કરણમાં આવી હતી, ત્યારે તેને જ્યારે લગ્ન પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો અને કહ્યું, ‘મારા મનમાં શરૂઆતથી જ એક સ્પષ્ટ તસીવર છે.. મારા લગ્ન તિરુપતિમાં થશે અને લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર રહેશે. હું સોનેરી કાંજીવરમ સાડી પહેરીશ અને મારા વાળમાં ઘણા બધા મોગરા હશે. મારા પતિ લુંગીમાં હશે અને અમે કેળાના પાન પર ખાઈશું.હવે આ નિવેદનને લઈને શિખર પહાડીયા સાથે જોડવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, જ્યારે જાહ્નવી કરણ જોહરના લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ’માં આવી ત્યારે તેણે એક રીતે આ સંબંધ પર મહોર મારી દીધી હતી.તેને હાલમાં જ શિખરના નામનો નેકલેસ પહેર્યો હતો.તેમજ પાર્ટી અને મંદિરમાં પણ તે શિખરની સાથે જતી જોવા મળે છે..અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’, તે સાથે જ ‘ઉલઝ’માં પણ જોવા મળશે..