વિવેક અગ્નિહોત્રીની ધ કેરલ સ્ટોરીથી ચર્ચામાં આવેલી બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા આ દિવસોમાં અલગ કારણથી ચર્ચામાં છે. અદા શર્માએ થોડા મહિના પહેલાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મુંબઇ સ્થિત એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ છે, જ્યાં અભિનેતાનું મૃત્યુ થયુ હતુ. જો કે આ દિવસોમાં અદા શર્માનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ રામ ભજન ગાતી જોવા મળી રહી છે. વીડિયોમાં અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતના ઘરે રામ ભજન ગાતા જોઇને ફેન્સ નારાજ થયા છે અને એક્ટ્રેસ ટ્રોલ થઇ છે.

વીડિયોમાં અદા શર્મા સિમ્પલ વ્હાઇટ સલવાર સૂટમાં નજરે પડી રહી છે. ઘરમાં બનાવવામાં આવેલ મંદિરની પાસે બેસીની ભજન ગાઇ રહી છે. આમ, જ્યારે યુઝર્સ આ વીડિયો જુએ છે ત્યારે ગુસ્સે ભરાય છે. આ વીડિયો જોઇને યુઝર્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યુ છે કે, ધ્યાન આકર્ષિત કરવાનો આ સૌથી સારો સ્ત્રોત છે, જ્યારે બીજા એક યુઝર્સે ફેમ માટે શું કરવું પડે છે. આમ, આવી જાતજાતની કોમેન્ટસ યુઝર્સે કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં અદા શર્મા દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપુતના મુંબઇ સ્થિત એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવાની અટકળો હતી. જો કે અંતે આ અટકળો પર વાત કરી અને કન્ફોર્મ કરી દીધુ કે 4 મહિના પહેલાં આ ઘરમાં શિફ્ટ થઇ. એક્ટ્રેસનું કહેવું છે એ ઘ કેરલ સ્ટોરી અને ધ બક્સર સ્ટોરીના પ્રમોશનમાં વ્યસ્ત હતી. ત્યારબાદ મથુરાની એલિફેન્ટ સેન્ચ્યુરીમાં થોડા દિવસો વિતાવ્યા. અદાએ જણાવ્યું કે હવે આ એપાર્ટમેન્ટમાં પૂરી રીતે ઘર જેવી મહેસૂસ કરી રહી છે.

અદા શર્માએ કહ્યું કે અનેક લોકોએ મને આ ઘરમાં રહેવા આવવા માટેની ના પાડી હતી, પરંતુ હું મારા નિર્ણય પર અડગ રહી હતી. અદાએ 5 વર્ષ માટે આ એપાર્ટમેન્ટ રેન્ટ પર લીધો છે. અદાએ નવા ફ્લેટને યુનિક સ્ટાઇલમાં ડિઝાઇન કરી દીધો છે. એક્ટ્રેસે ફ્લેટને સફેદ રંગ કરાવ્યો છે. રિપોટ્સ અનુસાર એક મસ્ત મંદિર પણ બનાવ્યું છે. એક મ્યુઝિક રૂમ, બીજો ડાન્સ સ્ટૂડિયો અને છતને બગીચામાં બદલી નાખ્યો છે.