હાર્દિક દેવકીયા
Gujaratના ખેડા જિલ્લાના નડિયાદ નજીકથી પસાર થતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ ભરેલી ટેન્કર પલટી જતા મોટી દુર્ઘટના બની છે. કોઈ જાનહાનિ નહીં, પરંતુ આ કેમિકલના કારણે પહેલા આગ લાગી અને બાદમાં કેમિકલના જે પ્રમાણે ધુમાડાના ગોટા વળ્યા તેણે આખુ ગામ ઝેટમાં લીધી અને અંતે ગ્રામજનોએ પલાયન કરવાની ફરજ પડી છે.

Gujaratના નડિયાદમાં નજીક વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ રોડ પર એક કેમિકલ ભરેલી ટેન્કર પલટી ગઈ અને તે બાદ કેમિકલના કારણે પ્રથમ આગ લાગી. તે પછી આ કેમિકલના ધુમાડા ખૂબ મોટા પ્રમાણમાં નીકળવા લાગ્યા અને આખો એક્સપ્રેસ-વે રોડ 2 કિલોમીટર સુધી ધુમાડાના ચપેટમાં આવ્યો અને આ તરફ એક્સપ્રેસ-વેની પાસેનું નડિયાદના બિલોદરામાં પણ ધુમાડો પહોંચી ગયો. પરીણામે ગ્રામલોકો પલાયન કરવાની ફરજ પડી રહી છે.
આ ઘટનામાં સદનસીબે ટેન્કર ચાલકનો જીવ બચી ગયો છે. એક કેમિકલ ભરેલી ટેન્કર નીચે ખાબકી અને તે બાદ કેમિકલના કારણે આગની સાથે ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. ઘટના એટલી ગંભીર હતી કે, ફાયરબ્રિગેડ, પોલીસ સહિત હાઈવેની ઈમરજન્સી પેટ્રોલીંગની ટીમ દોડી આવી હતી. ટેન્કર ઊંડા ખાડામાં પડતાની સાથે બ્લાસ્ટ થતાં ટેન્કરમાંથી કોઈ કેમિકલ લીક થયો હતો. જેને લઇને ધુમાડાના ગોટેગોટા હાઈવે પર જોવા મળ્યા હતા.

2 કીમી દુરથી આ ગોટેગોટા દ્રશ્યો જોવા મળ્યા હતા અને એક્સપ્રેસ-વે પર 2 કિલોમીટર સુધી વીઝીબીલીટી પણ ઘટી ઈ હતી. જોકે પહોંચેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આ હોનારતને કાબુમાં લેવા પ્રયાસ કર્યો છે.બનાવના પગલે સ્થાનિક પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. ચાલકને હેમખેમ બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ તરફ ઘટના બાદ તુરંત સ્થળ પર વીઝીબીલીટી ઘટતા લોકોએ વાહનો ધીમે પાડ્યા છે અને આગ અને ધુમાડા પર કાબુ મેળવવા ફાયરની ટીમો કામ કરી રહી હોવાથી વડોદરાથી અમદાવાદ તરફની લેનમાં ભારે ટ્રાફિક જામ થયો છે. જેમાં હજારો લોકો અટવાઈ ગયા છે.
આસપાસના ગામોમાંથી નાગરીકોનું સ્થળાંતર કરાવ્યુ
આ ઘટના બાદ કેમિકલના કારણે આસપાસના ગામોમાં કેમિકલયુક્ત ધુમાડો પહોંચી ગયો હતો. બિલોદરા, સલુણ વાંટા, ખુશાલપુરા સુધી આ ધુમાડો પહોંચી ગયો હતો. જ્યાં લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થતી હોવાની વિગતો પણ સામે આવી હતી. આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા ત્વરીત ગામ લોકોનું સ્થળાંતર કરવાના નિર્દેશ આપી દેવાયા છે અને સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાવી દેવાઈ છે. તો સાથોસાથ કેમિકલયુક્ત ધુમાડાની અસર પૂર્ણ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરી દેવાઈ છે.
આ પણ વાંચો..
- Bahubali: તો, શું મોબાઇલ નેટવર્ક માટે ટાવર લગાવવામાં આવશે નહીં?: જાણો કે ઇસરોનું 101મું મિશન ઇતિહાસ કેવી રીતે રચવા જઈ રહ્યું છે?
- ફેરારી ઝડપથી દોડી રહી હતી અને બેરિયર સાથે અથડાઈ હતી; પ્રખ્યાત ગેમ ડેવલપર Vince Zampella નું દુઃખદ અવસાન
- Ahmedabad airport 6 વર્ષમાં 373 પક્ષીઓ સાથે ટકરાવાના બનાવો સાથે હોટસ્પોટ બન્યું
- Aravalli પર્વતોનું અસ્તિત્વ જોખમમાં, બ્રજના ગિરિરાજ પર્વતોને કેવી રીતે બચાવવામાં આવશે? વિંધ્ય અને સતપુરાનું શું થશે?
- Don 3: શું રણવીરે ‘ડોન 3’ છોડી દીધી? ફિલ્મની આસપાસના સસ્પેન્સ વચ્ચે, લેખન ટીમ તરફથી એક મોટું નિવેદન, અહીં સંપૂર્ણ સત્ય જાણો





